SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ સવિશતિ ગુણ વર્ણન. તામ્રલિમી નામની નગરીમાં સાગરદત્ત નામને તમામ વિષયમાં ઉડે ઉતરી વિશેષ નિશ્ચય કરનાર એક વણિક વસતે હતો. તે જાતિસ્મરણ જ્ઞાનને લીધે સ્ત્રીમાં વિરક્ત હોવાથી પરણવા ઈચ્છતું ન હતું. અને તે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતે. પુરૂષાંતરમાં આસક્ત થએલી તેની સ્ત્રીના ઝેર દેવાથી મૂછિત થએલાને આ મરી ગયું છે, એમ ધારી તે કુલટાએ બહાર ફેંકી દીધે, પરંતુ કોઈ ગોવાલણીએ રહેમ લાવી તેને જીવાડશે. ત્યારબાદ તે બ્રાહ્મણ વૈરાગ્યથી પ્રેરાઈ તાપસ થઈ મરણ પામે અને તે અહીં સાગરદત્તપણે ઉત્પન્ન થયો. તે ગોવાલણી પણ લૌકિક ધર્મ એટલે દુનિયામાં પ્રસિદ્ધ સ્થૂલ ધર્મના નિયમમાં અનુરાગ ધરાવતી કાળક્રમે મરણ પામી, તામ્રલિપ્તી નગરીમાં વ્યાપારીની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. એક વખત માર્ગમાં તેણીને જોઈ સાગરદત્તની દ્રષ્ટિને કાંઇક આનંદ થયે. તેના માતાપિતાએ તેના આ અભિપ્રાયને સમજી લઈ સાગરદત્તને તેણીની સાથે પરણાવ્યા. પરંતુ સાગરદત્તના અંતઃકરણમાં હર્ષને સ્થાન મળ્યું નહીં. તે વ્યવહારીની પુત્રીએ બુદ્ધિના બળથી કલ્પી લીધું કે આ મહારે સ્વામી ખરેખર જાતિસ્મરણ જ્ઞાન ધરાવે છે અને તે પૂર્વજન્મમાં કોઈ સ્ત્રીથી કદર્થના પામેલો છે, એ અર્ધ નિશ્ચય થયા બાદ તે વિચક્ષણાએ એક વખત આ ગાથા લખી મેકલાવીदहस्स पायसेणं जुत्तं दाहियंपि किमिह परिहरिउं। तुच्छोदयसंभविणो नहु दुद्धे पूयरा हुँति ॥६॥ શબ્દાર્થ:--દુધથી દાઝેલા મનુષ્યને દહીને ત્યાગ કરે શું યોગ્ય છે? ચેડા જલમાં થનારા પેરાઓ શું દુધમાં હેઈ શકે ? દા તાત્પર્ય કે એક સ્ત્રી કુલટા અનુભવવામાં આવી. તેથી શું સઘળી તેવીજ છે એમ સંભવ થાય ? નહીં જ ઉપરની ગાથાને ભાવાર્થ ધારણ કરી સાગરદત્તે પણ એક લેક ઉત્તરરૂપે લખી મોકલ્યો-- कुपात्रे रमते नारी गिरौ वर्षति वारिदः । नीचमाश्रयते लक्ष्मीः प्राज्ञः प्रायेण निर्द्धनः ॥७॥ શબ્દાર્થ -સ્ત્રી નીચેની સાથે રમણ કરે છે. વર્ષાદિ (જરૂરીઆત શિવાયના) પર્વત ઉપર વધે છે અને ઘણે ભાગે પંડિત પુરૂષ નિધન હોય છે હા તેણુએ ફરીથી એક ગાથા લખી મેકલાવી કે – पाययदोसो कत्थ व न होइ न हु एत्तिएण तच्चाओ। अणुरपि हु संज्झं किं दिवसयरो न भासेइ ॥८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy