________________
શ્રાદ્ધગુણ વિવરણ.
૪૧ યાને પ્રિય થાય છે તેથી આ ગુણની શ્રાવકપણુમાં આવશ્યકતા છે. ઉપર જણાવેલા ચાર ગુણને સદાચાર કહેલો છે. ૧ વળી કહ્યું છે કે –
"सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादस्तु साधुषु ।
आपद्यदैन्यमत्यन्तं, तत्सम्पदि नम्रता ॥२॥" શબ્દાર્થ સર્વ ઠેકાણે નિદાને સર્વથા ત્યાગ, સપુરૂષની પ્રશંસા, અત્યંત કષ્ટમાં અદીનપણું અને તેવી જ રીતે સંપત્તિમાં નમ્રતા રાખવી. ૨”
ભાવાર્થ–“સર્વત્ર નિ સવા —ઈ પણ માણસે કોઈ પણ વ્યક્તિની નિંદા કરવી નહીં. પરંતુ વિપરીત આચરણ કરનારને જોઈ તેના ઉપર કરૂણા લાવી તેને પિતે બનતા ઉપાયે વિપરીતકાર્ય કરતાં અટકાવે, અને સન્માર્ગે ચલાવવા પ્રેરણ કરે, અને જો તેમ કરતાં અસત પ્રવૃત્તિને તે ત્યાગ ન કરે તે તેના ઉપર ઉદાસીનતા ધારણ કરે પણ તેના ઉપર દ્વેષ ધારણ કરી નિદાન કરે નિંદા કરવાથી નિંદા કરનાર પુરૂષના આત્માને કઈ પણ પ્રકારને લાભ થતો નથી. પરંતુ જે પુરૂષની નિદા કરવામાં પ્રવર્તમાન થયું હોય તેના અવગુણમાં ચિત્તની રમણતા થવાને લીધે આત્મામાં તે અવગુણનું પ્રતિબિંબ પડવાથી આત્મા મલીનતાને પામે છે જેમ જિનેશ્વર કે મહર્ષિઓના ગુણોત્કીર્તન કરવાથી ગુણે કીર્તન કરનારને આત્મા નિમંળતાને પ્રાપ્ત થાય છે, તેમ તે ન્યાય આ ઠેકાણે લાગુ કરી કોઈ પણ વ્યક્તિની નિંદા કરી આત્માને કલુષિત કરે નહીં. તેમાં રાજા, મંત્રી, દેવ, ગુરૂ સંધ અને પુરૂની નિંદાને ત્યાગ તે અવશ્ય કરવું જોઈએ. નહીં તે રેહિણીની પેઠે નરક અને તિર્યચનાં અતિ તીવ્ર દુખનો અનુભવ કરવો પડશે. એમ જાણું નિદાથી નિવવું એજ ઉચિત છે.
“વારિતુ સાધુ–સત્યરૂની પ્રશંસા કરવી–તેમના શાંતતા, ગભીરતા, શૈર્યતા, નમ્રતા, સહનશીલતા, વિષયવિમુખતા, વચનમાધુર્યતા, નિરભિમાનતા, ગુણજ્ઞતા, નિપુણતા, સરળતા, સમ્યતા, દાક્ષિણ્યતા, અદીનતા, સવજનવલ્લભતા, પ્રમાણિક્તા, નિઃસંગિતા, નિડ તા, નિર્લોભતા, પરોપકારિતા, દીર્ધદર્શિતા,ધર્મચુસ્તતા, સંસારવિમુખતા તથા ઔદાર્ય, વૈર્ય, સાજન્ય, ઔચિત્ય, વિનય, વિવેક, અનુભવ, સદાચાર અને પાપભીરત્વ વિગેરે અનેક ગુણનું નિરંતર સ્મરણ કરવું, અને તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org