SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રાદ્ધગુણ વિવરણ. તેને કાપવાદને ભય છે, અને જે ધર્મિષ્ટ હોય તેજ એવા ભયની દરકાર રાખે છે. તેથી તેમની અધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. માટે શ્રાવકપણામાં લોકાપવાદ ભરૂત્વ ગુણની ખાસ આવશ્યક્તા છે. “વીનાન્યુ ” – દીન પુરૂને ઉદ્ધાર કરવામાં આદરવાળે એટલેકે, પિતાને સ્વધર્મિ-જાતિ બંધું કે દેશ બંધુ કોઈ પણ પ્રાણ આપત્તિમાં આવી પડયે હોય તે તેની ઉપેક્ષા નહીં કરતાં યથાશક્તિ તેને સહાય આપવામાં અથવા તે તેને બનતા પ્રયાસે ઉદ્ધાર કરવામાં આદરયુક્ત થવું જોઈએ. “તારા – કરેલા ગુણને જાણ તે–આ સામાન્ય ગુણ દરેક વ્યક્તિને લાગુ પડે છે દુનિયામાં પણ કરેલા ગુણને ભૂલી જનાર અધમ ગણાય છે. તેથી હરેક પ્રકારે પિતાની શકિત અનુસાર ઉપકારીના ઉપકારને બદલે વાળવા ચુકવું નહીં. હવે જે કોઈ એક પુરૂષમાં ઉપકારીના ઉપકારને બદલો વાળવાની કોઈ પણ રીતે શક્તિ ન હોય તે પણ તેણે તેને બદલે વાળવા હમેશાં ઈચ્છા રાખવી જોઈએ કે જેથી કૃતઘતા પ્રાપ્ત થાય નહીં, તેમજ ઉપકારીને બદલે આપવાને શક્તિમાન પુરૂષે એ પણ વિચાર ન કરવો જોઈએ કે મ્હારા ઉપર ઉપકાર કરનાર કાંઈ પણ આપત્તિમાં આવી પડે તે હું તેમને આપત્તિમાંથી મુક્ત કરી જણ મુક્ત થાઉં. એ વિચાર કરે તે માથું કાપી પાઘડી બંધાવવા જેવું છે, તેથી વિચારશીળ પુરૂષ આ પ્રમાણે વિચાર કરે નહીં. પરંતુ ઉપકારીના ઉપકારનું નિરંતર સમરણ કર્યા કરે અને ચિંતવે કે, મહારા ઉપર જેવી આપત્તિ આવી પડી હતી તેવી આપત્તિ હારા ઉપકારી પુરૂષપર મા આવી પડે. “સુરક્ષિ –સુદાક્ષિણ્યતાવાળે એટલે કેટલાએકસારા માણસે, મહાજન, જ્ઞાતિજન તથા ગ્રામ કે દેશના માનનીય પુરૂષે અમુક સુકૃત કાર્ય કરવા ભલામણ કરે, અને તે કરવામાં પિતાને મહેનત પડતી હેય, દ્રવ્યને વ્યય થત હેય, અગર બીજું કંઈ કષ્ટ સહન કરવું પડતું હોય તે પણ તે કાર્ય શરમને લઈને કરી આપે. કદિ ઉપરોક્ત પુરૂ અકાર્ય કરવાની ભલામણ કરે છે તે કરવું કે નહી? એવી કઈ આશંકા કરે તેને કહેવાનુકે પ્રથમ તે ઉત્તમ પુરૂ તેવા અકાચની ભલામણ કરેજ નહીં. કદિ તેવા સંજોગોને લઈ અકાર્ય કરવાનું કહેવામાં આવે છે તેવા કાર્યમાં દાક્ષિણ્યતા રાખવી એગ્ય નથી. આ ગુણવાળે પુરૂષ દુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy