________________
૫૮
શ્રાદ્ધ ગુણ વિવરણ શ્રાવક હતું. તેને અનુક્રમે સુભદ્રા નામે પુત્રી ઉત્પન્ન થઈ. તે રૂપ, લાવણ્ય અને સૌભાગ્ય રૂપી અમૃતને જાણે સમુદ્રજ હેય નહીં તેવી ઉત્તમ સુશ્રાવિકા હતી. તેને વરવા માટે અનેક વરેનું આગમન થતું હતું. પરંતુ જિનદત્તકી શ્રાવક શિવાય બીજાને તે કન્યા આપવા ઈચ્છતું ન હતું. કહ્યું છે કે – " विवेकीना धर्मयशोऽनिवृद्ध्यै, समं कुलाचार मिहावलोक्य। वराय शुखाय सुता प्रदेया, नेया तथाऽन्यापि सुखोदयाय॥॥"
શબ્દાર્થ—“વિવેકી પુરૂષે ધર્મ અને કીર્તાિના ફેલાવા માટે આ લેકમાં સમાન કુળ અને આચારનું અવલોકન કરી પવિત્ર વરને પિતાની પુત્રી આપવી જોઈએ; અને તેવી જ રીતે સુખની વૃદ્ધિ માટે [ પુત્રાર્થો] બીજી કન્યા લાવવી જોઇએ. પ” - એક વખતે ચંપા નગરીથી બદ્ધ ધર્મની શ્રધ્ધાવાળા બુધ્ધદાસ નામે વણિક વેપાર અર્થે વસંતપુરમાં આવ્યું. ત્યાં સુભદ્રાને જોઈ તેના રૂપથી મોહિત થએલા કપટવૃત્તિ શ્રાવક થઈ હંમેશાં એવી રીતે ઘર્મનું શ્રવણ કરવા લાગે કે જેથી અનુક્રમે તને જાણ થઈ તે ભાવશ્રાવક થયે. તેના અધ્યવસાયને સમજી જિનદત્ત શ્રેણીએ પિતાની પુત્રી તેને આપી; અને પાણિગ્રહણ મહોત્સવ કર્યો, કેટલે એક કાળ વ્યતીત થયા પછી તે બુધદાસ વ્યવહારી સુભદ્રાને લઈ ચંપા નગરીમાં આવ્યું. ત્યાં પણ સુભદ્રા જૈનધર્મ પાળવા લાગી. સુભદ્રાની સાસુ અને નણંદ બધ્ધની ભક્ત હતી, તેથી હમેશાં સુભદ્રાની નિંદા કરતી. આથી બુધ્ધદાસે પૃથફ ઘર કર્યું. ત્યાં સાધુ સાધ્વીઓ ભિક્ષાર્થે આવતા હતા તે જોઈ તેની સાસુ વિગેરેને તેના પર દ્વેષ થઈ આવે, તેથી તે કહેવા લાગી કે આ સુભદ્રા સાધુમાં આસક્ત છે. પરંતુ આ વાત તેના સ્વામીને વિશ્વાસ કરવા લાયક લાગી નહીં. એક વખતે બલ, રૂપ અને ગુણયુક્ત અને જાણે મૂર્તિમાન ચારિત્ર જ હેય નહીં એવા કોઈ જિનકલ્પી સાધુ તેને ઘેર આહાર લેવાને અર્થ આવ્યા. તે વખતે પવનથી પ્રેરાએલું તરણું કોઈ પ્રકારે તે સાધુના નેત્રમાં પ્રવેશ કરી ગયું. તે મુનિશ્રી પોતાના શરીરને ઉપચાર કરવામાં વિમુખ હેવાથી તેમણે તે તરણને નેત્રમાંથી દૂર કર્યું નહીં. પણ આહાર આપતી વખતે સુભદ્રાએ આ મુનિશ્રીનું નેત્ર વિનાશ ન પામે એમ ધારી તેને ચાતુર્યથી તે મુનિ મહાશયના નેત્રમાંથી જહાએ કરી તે તરણું ઉપાડી લીધું. તે અવસરે સુભદ્રાના લલાટનું તિલક મુનિશ્રીના લલાટમાં સંક્રમણ થયું, તે સુભદ્રાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org