SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ . પ્રકૃતિના સંસર્ગમાં આવવુ પડે છે તેથી પોતાને અવશ્ય કવ્ય જે જે વ્યવહાર હાય તેમાં જે જે પ્રકૃતિના યાગ થાય તેના પોતાના વ્યવહારિક કાય જેટલાજ સબંધ રાખી પેાતાના મુખ્ય નિશ્ચયમાં વિક્ષેપ થવા દેવા નહિ, આપણા શુભ નિશ્ચયને વિરાધી એવા વિચારથી તણાઇ જવા કરતાં, આપણાં શુભ વિચારમાં અન્ય જના દ્વારાય તેમ કરવાનો યત્ન રાખવા, મૈત્રી આદિ ઉત્તમ ભાવનાઓથી દારાઈ સર્વ પ્રાણીમાત્ર તરફ વાત્સલ્ય પ્રેમ પ્રસારવા અને સર્વોપયાગી ગૃહાવાસમાં રહીને પણ અનાસક્તિ રાખી, સમભાવે વર્તી મનુષ્યજીવનને ઉન્નત કરતાં જવું, એ ઉત્તમ શિક્ષણાના પાઠ ગુણ મેળવવાથીજ પ્રાપ્ત કરી શકાય છે. આહાર, વિહાર, વિચાર, વાંચન, સંગત, વ્યવહાર આદિ સર્વ પ્રવૃત્તિમાં તે ઉત્તમ ગુણાનો પ્રકાશ પાડવામાં આવશે, તેા પછી તમાને આ વિષમય સંસાર પણ અમૃતમય લાગશે, કાઇ સ્થાને દુરાગ્રહ કે અનાદરની મુદ્ધિ ઉત્પન્ન થશે નહિ, ક્રાઇ પ્રિય પદાર્થને અભાવે કલેરા થશે નહિ, પરજીવનમાં પણ સ્વજીવન એટલે સુધી ભળી ગયેલુ લાગશે કે અન્યના હર્ષ શાકથી તમને હર્ષ શાક થયા વિના રહેશે નહિં અને શક્તિ-અનુસાર સર્વાંને સહાય કરવાની પણ ઈચ્છા થશે. ઉન્નત વિચારો અને ભવ્ય ભાવના શુદ્ધ થયેલા તમારા અંતઃકરણરૂપી દર્પણમાં વધારે સ્પષ્ટ રીતે પ્રતિબિંબ પામશે, અકસ્માત તમને તમારી ઉમદા આશાએ અને ઇચ્છાએ પૂર્ણ થતી જણાશે; જેન—આગમના તત્વાનુ જ્ઞાન અને તેના ખુલાસા સ્વતઃ પ્રાપ્ત થઇ આવશે, તમારી દૃષ્ટિજ કેાઇ દિવ્ય પ્રકારે ખુલી જશે, શંકા, આકાંક્ષા, જડતા, પ્રમાદ, આલસ્ય, વિષયભોગેચ્છા, મિથ્યાત્વ, અસ્થિરતા, તથા ચંચળતા વગેરે દોષ! તમારાથી દૂર રહેશે, અને ભવ્ય જીવનનું સ્વરૂપ પ્રાપ્ત કરી તમે ધર્મના પૂર્ણ અધિકારી થઇ શકશે. આવી રીતે ધમની સંપૂર્ણ યાગ્યતા ગુણથીજ મેળવી શકાય છે, એ વાત સર્વ પ્રકારે સિદ્ધ થાય છે. હવે તે ગુણાનુ સ્વરૂપ કેવું છે ? અને તે ગુણા મનુષ્યને તેના જીવનમાં કેટલા લાભકર્તા છે ? તે વિષેનું સવિસ્તર અને દષ્ટાંત સહિત વિવેચનનું જ્ઞાન પ્રત્યેક શ્રાષકે સંપાદન કરવું જોઈએ, અને તે જ્ઞાનને પોતાના નિર્મળ ચારિત્રમાં ઉતારવુ જોઇએ. તેમ કરવાથી ગૃહસ્થાવાસમાં રહેલા ધર્માધિકારી શ્રાવકમાં સાંસારિક ઉન્નતિની, અનુભવસિદ્ધ ધર્મકાર્યની, નીતિના નિલ ખેાધની અને છેવટે આત્મજ્ઞાનની ભાવના સ્ફુરિત થાય છે, તેમજ પેાતાના ઉચ્ચ આશયાનું અને મહા પ્રભાવિક સમકિતનું મહાબળ પણ પ્રગટ થાય છે. આ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથ ઉપયુŚક્ત સ` માહાત્મ્યથી ભરપૂર છે. અને ગૃહસ્થ :થ્રાવકને ધના અધિકાર પ્રાપ્ત કરવામાં જે ગુણીની આવશ્યકતા છે, તેને યથાર્થ રીતે બતાવનારા છે. અને ધર્મીના અધિકારી ક્રાણુ ? એ પ્રશ્નના યથાર્થ નિય કરાવનારા છે, જેઓએ શ્રાવકપણાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા નિશ્ચય કર્યાં હોય, એટલે કે જેને આપણે શુદ્ધ શ્રાવક કહીએ છીએ, તેઓ આવા ગ્રંથના પ્રથમ પદે અધિકારી છે અને ખાસ કરીને તેવાઓનેજ ઉદ્દેશીને આપણાં મહેાપકારી મહાત્માઓએ આવા ગ્રંથા લખેલા છે. એટલુ જ નહિ પણ સમાન્ય સર્વોપયોગી થઇ શકે તેમ પણ છે. આવા ગ્રંથા વાંચી, વિચારી ગૃહસ્થાવાસીએ પોતાના યથા સ્વરૂપને સમજી શકે છે અને પરિણામે ધન! પૂર્ણ અધિકારિ વ માં દાખલ થઇ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy