SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ. v ^^^^^ અને આ વનમાં તું કયાંથી આવ્યું છે? એમ હંસના પુછવાથી તે ઘુવડ પક્ષીઓ કહ્યું કે, હું તમારા ગુણોનું શ્રવણ કરી તમારી સાથે મિત્રતા કરવા માટે આવ્યો છું, તે પછી હંસ અને ઘુવડની આપસ આપસમાં મૈત્રી થઈ અને તે બન્ને પક્ષીઓ સાથે કીડા કરે છે. એક વખતે હંસની આગળ ઘુવડે કહ્યું કે એક વાર તમારે પણ મહારા સ્થાનમાં આવવું. એવી રીતે કહીને હંસની રજા લઈ ઘુવડ પક્ષી પિતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયા. પછી કોઈક વખતે હંસ પણ તેના સ્થાનમાં ગમે ત્યાં ઘણાં સ્થાને માં જે પણ ઘુવડ જોવામાં આવ્યું નહીં, પછી કઈ વૃક્ષની બખેલમાં પેઠેલા ઘુવડને જોયો ત્યારે હંસે કહ્યું કે “હે ભદ્ર? તું બખોલમાંથી બહાર આવ. હું હંસ છું અને તને મળવા માટે આવ્યો છું.” ત્યારે ઘુવડે કહ્યું કે, “હે ભાઈ? દિવસમાં હું બહાર નિકળવાને સમર્થ નથી તેથી તમે અહીં રહો. રાત્રિમાં તમારી સાથે ગણી કરીશ.” અનુક્રમે રાત્રિ પડતાં બન્ને પક્ષીઓ મળ્યા અને પરસ્પર કુશળ વાર્તાઓ વર્તી ગેછી સમાપ્ત થતાં હંસ ત્યાંજ સુઈ ગયે, તે વખતે તે વનમાં રાત્રિમાં કઈ સાથે પડાવ નાંખીને રહે છે, રાત્રિના પાછલા પહેરે સાર્થને ચાલવાના વખતમાં ઘુવડે ખરાબ સ્વરવાળા શબ્દ કર્યો અને પિતે નદીના વિવરમાં પ્રવેશ કરી ગયે અને હંસને તે ત્યાંજ સુતે મુક્યો. તે પછી તે ઘુવડનઃ. શબ્દને સાંભળી કેયુક્ત થએલા સાથે પતિએ દુષ્ટ શકુનની નિવૃત્તિ કરવાને માટે શબ્દવેધી બાણથી હંસને મારી નાંખે. .. કારણથીજ અકાળ ચર્ચા ન કરવી ઈત્યાદિ કહેવામાં આવ્યું છે.-હવે ગ્રંથકાર મહારાજ બાવીશમાં ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે. ધમને અર્થે પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છનાર અને હમેશાં સ્થિરતાને ધારણ કરનાર એવા વિચારના જાણ પુરૂષે નિષિદ્ધ કરેલી દેશચર્યા અને કાળચર્યાને અવશ્ય ત્યાગ કરે જોઈએ. હS:/ક ૧૯૪S, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy