SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રાદ્ધગુણ વિવરણ. વાટિકામાં નીકળેલા ચેલુક્ય શિરોમણી કુમારપાળે તે પડાવ જોઈ પુછયું કે આ કેની સેનાને પડાવ છે? ઉત્તરમાં કોઈ ઉતાવળાએ જણાવ્યું કે-મલિલકાર્જીનથી પરાભવ પામેલા અને કુંકણદેશથી પાછા ફરેલા આંબડદેવ મંત્રીને આ સેનાનિવેસ છે. આ વાત સાંભળી તે મંત્રીની અત્યંત લજજાથી વિસ્મય થએલા રાજાએ પ્રસન્ન અને મનહર દ્રષ્ટિથી મંત્રિને સત્કાર કરી બીજા બળવાનું સામંતો સાથે મલ્લિકાર્જુનને જીતવા માટે આંબડદેવને ફરીથી મોકલ્યો. અનુક્રમે તે કોલંબિ નામની નદીને પ્રાપ્ત થઈ તેના ઉપર પુલ જે માર્ગ તૈયાર કરી તેજ માર્ગ દ્વારા અનુક્રમે સાવધાન વૃત્તિથી સૈન્યને ઉતારી અસાધારણ યુદ્ધ શરૂ થતાં બહાદુરીથી હસ્તિના સ્કંધ ઉપર આરૂઢ થએલા મલ્લિકાર્જુનનેજ ચેષ્ટારહિત કરતે તે આંબડદેવ નામનો સુભટ મૂશળ જેવા દાંતરૂપ પગથીઆવડે હાથીના કુંભસ્થળ ઉપર આરૂઢ થઈ પ્રચંડ રણ રસના આવેશમાં આવી પ્રથમ તું પ્રહાર કર અથવા તો ઈષ્ટદેવનું સ્મરણ કર એ પ્રમાણે બોલી અને તીક્ષ્ણ ધારવાળા ખડ્ઝના પ્રહારથી મલ્લિકાર્જુન નને પૃથ્વી ઉપર પાડી નાખી અને મહિલકાજુનના નગરને લુટવામાં જ્યારે સામતો રોકાયા હતા તે વખતે કેશરીસિંહનું બચ્ચું જેમ હાથીને નાશ કરે છે તેની પેઠે આંબડદેવે સહેજમાંજ મલ્લિકાર્જુનનું મસ્તક કાપી નાખ્યું. પછી તે મસ્તકને સેનાથી વીંટીલઈ તે કુંકણદેશમાં કુમારપાળ ભૂપાળની આજ્ઞા વર્તાવી અનુક્રમે અણહિલપુર પત્તનમાં આવી કુમારપાળ નરેશની સભામાં જ્યારે બહેતર સામંતોની હાજરી હતી તે વખતે કંકણદેશના રાજા મહિલકાર્જુનના મસ્તકની સાથે શૃંગારકેટી નામની સાડી, માણિક્ય નામને પેટ, પાપક્ષયંકર નામને હાર, સંગસિદ્ધ નામની છીપ, સેનાના બત્રીશ કળશ, મોતિના છો મૂઠા, ચાર દાંત વાળ સેટક નામનો એક હાથી, એકવીસ પાત્રો અને ચઉદ કોડ સેના મહાર વિગેરે વસ્તુઓથી પોતાના સ્વામિ શ્રી કુમારપાળરાજાની આંબડદેવ મંત્રિએ પૂજા કરી. ઉપર જણાવેલા આશ્ચર્યજનક કાર્યથી ખુશી થએલા રાજાએ પોતાનાજ મુખથી શ્રી આંબડદેવને “રાજપિતામહ એવું બીરૂદ આપ્યું. હવે ચાલતા વિષયની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશ દ્વારા આ ગુણ પ્રાપ્ત થવાનું ફળ બતાવે છે–– संकटेऽपि महति प्रतिपन्नं लज्जया त्यजति यन्न मनस्वी। निर्वहेच्च खलु तेन सलज्जः सम्मतःशुभविधावधिकारी ॥५॥ શબ્દાર્થ:-મહેોટું સંકટ આવ્યા છતાં પણ મનસ્વી પુરૂષ અંગીકાર કરેલું લજજાથી ત્યાગ કરતે નથી પરંતુ ખરેખર તેને નિર્વાહ કરે છે. તે હેતુથી લજાવાન પુરૂષ ધર્મ કાર્યમાં અધિકારી ગણાય છે. એ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy