SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ ગુણ વિવરણ સસરાના કહેવાથી દીપકને કરનારી વહુની પેઠે ઘર કાર્ય કરવામાં ઉદાસીનતા ધારણ કરનારી સ્ત્રી ન હોવી જોઈએ. પરંતુ જેમ તેજપાલ મંત્રીની ભાર્યા અપમાદેવી ઘર કાર્યમાં કુશળ હતી તેવી સ્ત્રી હોવી જોઈએ. અને કલહ કરનારી ભાયથી તે ખરેખર ઘરને નાશ જ થાય છે. તે વિષે દષ્ટાંત આ પ્રમાણે છે– કઈ ગામમાં શિવ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેને કજીયાર અને સર્વ ધર્મથી બહાર કરેલી સાવત્રી નામે ભાર્યા હતી. તેના ઘર આગળ એક વડનું ઝાડ હતું તેમાં એક વ્યંતર રહેતે હતિ સાવિત્રી વડના મૂળમાં કચરે પેશાબ વિગેરે નાંખતી હતી તેથી ઉદ્વેગ પામેલો તે વ્યંતર પલાયન કરી કોઈ એક ગમના ઉપવનમાં જઈ રહ્યા. સાવિત્રી અને શિવને પરસ્પર આ પ્રમાણે કલહ થતો હતો. "आः किं सुन्दरि ! सुन्दरं न कुरुषे किं नो करोषि स्वयम्, धिग् त्वां क्रोधमुखीमतीकमुखरस्त्वत्तोऽपि कः कोपनः। श्राः पापे प्रतिजल्पसि प्रतिपदं पापस्त्वदीयः पिता, दम्पत्योरिति नित्यदन्तकलहक्लेशातयोः किं सुखम् ॥११॥" શબ્દાર્થ–શિવ-“અરે સુંદરિ! તું સુંદર કેમ કરતી નથી? ” સાવિત્રી“ તું પતેજ કેમ સુંદર કરતું નથી ? ” શિવધિમુખી તને ધિક્કાર છે. સાવત્રી – અસત્ય બેલવામાં વાચાલ હારથી બીજો કેણ ક્રોધી છે. ? ” શિવ– અરે પાપણી! તું દરેક વાક્યમાં સામું બેલે છે? - સાવત્રી-- બાપ પાપી” આ પ્રમાણે નિરંતર દંતકલહ અને કલેશથી દુ:ખી થયેલાં દંપતિને સુખ કયાંથી હોય ? ?” પછી તે શિવ બ્રાહ્મણ ઘરને ત્યાગ કરી નાઠે અને જે ઉપવનમાં તે વ્યંતર રહ્યા છે તે ઉપવનમાં ગયે. વ્યતરે તેને બેલા “હે શિવ? તું મને ઓળખેછે?” શિવે કહ્યું “ના” વ્યંતરે કહ્યું “હું હારી સ્ત્રીને ભયથી આ ઉપવનમાં આ છું. ત્યારે નિર્વાહ અહિં કેવી રીતે થશે?” શિવે કહ્યું “ તમારી કૃપાથી મહારે નિર્વાહ થઈ જશે. ” પછી વ્યંતર શિવને જણાવી કઈ શેઠના પુત્રને વળગે. શેઠે મંત્ર જાણનારને બોલાવ્યા પણ તેઓ કાંઈ પણ ગુણ કરી શક્યા નહીં. પછી શિવ ભતને કાઢે છે એમ જાણી શિવને લાવ્યા. શિવના મંત્રેલા જળથી ફાયદો થવાથી શેઠે તેને પાંચસે સોના મેહાર આપી આથી તેની લેકમાં પ્રસિદ્ધિ થઈ. જ્યાં જ્યાં વ્યંતર વળગે છે ત્યાં ત્યાં જઈ શિવ તે વ્યતરને નસાડે છે. પછી એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy