SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વારાએ સિદ્ધગીરી પર રહેલા ચૌમુખજીની ટુંકમાં આવેલા દેરાસરના છાર કરાવવા શરૂ કરેલા તે વેારા હઠીસંગભાઇએ પૂર્ણ કરાવ્યા હતા. ભાવનગર શહેરની બહાર આવેલા દાદાસાહેબના સ્થાનથી ઓળખાતા ભવ્ય જિનાલયમાં જ્યારે પ્રતિષ્ઠામહાત્સવ કરવામાં આવ્યા હતા ત્યારે શેઠ ડુડીસગભાઇએ ઉદારતાથી એ જિનાલય ઉપર ધ્વજદંડ ચડાવ્યા હતા. અદ્યાપિ તે કાયમ દર વરસે પેાતાના તરફથી ચડે છે. સંવત્ ૧૯૫૫ ના વર્ષમાં શેઠ હડીસગભાઇએ ધરદેરાસરની સ્થાપના કરી તેમાં રૂપાની છત્રીમાં પ્રભુને પધરાવી પ્રતિષ્ઠાનો મેટા ઉત્સવ કર્યાં હતા. આ પ્રતિષ્ઠાની શુભ ક્રિયા પન્યાસજી શ્રી ગભિરવિજયજી મહારાજના હાથથી કરવામાં આવી હતી. આ મહાત્સવમાં તેમના સૌભાગ્યવતા પત્નિ દીવાળીબાઇને ઉપધાન વહેવરાવવામાં આવતાં પ્રથમ માળા તે પરમ પૂજ્ય પન્યાસને હાથે પહેરાવવામાં આવી હતી અને તે પ્રસ ંગે સમસ્ત સધકૃત નંદિશ્વરદ્દીપની રચના કરવામાં આવી હતી. જે પ્રસંગે મોટા વરઘોડા, રાત્રિજાગરણ વીગેરે ધણી ધામધુમ થઈ હતી. આ બધા પ્રસ ગેામાં નવકારશી અને સ્વામીવાત્સલ્યના મહાત્સા ઘણી ઉદારતાથી પોતાના તરફથી ઉજવવામાં આવ્યા હતા. આ શિવાય તેવા પ્રકારના ખીજા કાર્યોમાં એ ઉદાર શેઠે પોતાની લક્ષ્મીને સદુપયેગ કરેલા છે અને તેવી રીતે વર્તમાન કાળે પણ કરે છે. શેઠ હડીસગભાઇએ જેવી રીતે દેવ-ગુરૂની સેવામાં પોતાની ઉદારતા દર્શાવી છે, તેવી રીતે તેમણે બીજી ધાર્મીક સખાવતા પણ કરેલી છે. સ. ૧૯૪૯ ના વર્ષમાં ધાર્મીક સખાવત. પોતાના ઉપકારી ગુરૂ શ્રી નૃદ્ધિચંદ્રજી પાઠશાળાનુ સ્થાપન થયું. તે વખતે એક સારી રમ અર્પણ કરી એ શુભ કાર્યના સમારંભ તેમના તરફથી થયા હતા. જ્યારે તે ભાવનગર શહેરના પરમ ઉપકારી ગુરૂએ સ્વર્ગવાસ કર્યો ત્યારે તેમના અગ્નિદાહના સ્થાપન ઉપર તે ગુરૂની ચરણપાદુકાના સ્મરણુરૂપ સ્તુપની ક્રિયા પણ તેમણે બંધુ અમરચંદભાઇ સહીત મુખ્ય રીતે કરી હતી. દાદાસાહેબની વાડીમાં યાત્રાળુએ ઉતરવા માટે પોતાના ખર્ચ એક મકાન બંધાવી સધને અર્પણ કરેલ છે જેમાં યાત્રાળુએ ઉતરવાના લાભ લે છે, તે શિવાય સિદ્ધગીરીની છાંયામાં આવેલા દેપલા નામના ગામમાં ત્યાંના શ્રી સંધે કરેલા નવીન જિનાલયમાં પેાતાના તરફથી જિનપ્રતિષ્ઠા કરવાને તે માટે સધ લઈને ગયા હતા. અને તે પ્રસંગે સલાને વાહન—ભાજન વગેરે સામગ્રીને તમામ ખર્ચ આપી તે ગામના સર્વ વર્ણને ભાજન આપ્યું હતુ. એજ વર્ષમાં તેમના તરફથી સારા ધનવ્યય કરવામાં આવ્યા હતા. સ્વર્ગવાસી મહેાપકારી શ્રી નૃદ્ધિચંદ્રજી મહારાજના ઉપદેશથી શેઠ હડીસગભાઇએ પોતાના વડીલ બંધુ . અમરચંદભાઈ સાથે રહી સિદ્ધક્ષેત્ર શ્રી પાલીતાણામાં એક સુંદર ધર્મશાળા બંધાવી છે જે પવિત્ર સ્થાનમાં અંતે ભાઇઓએ સારી રકમ ખરચી પોતાના નિત્ર નામને એ પવિત્ર ગીરીરાજની છાયામાં ચિરસ્થાયી કરેલુ છે. જેના લાભ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંધ સદાકાળ લીધા કરે છે. દાદાસાહેબમાં ઉધાડવામાં આવેલ જૈન એર્ડીંગમાં તેમના તરફથી અમુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy