SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. પિતાને સ્વામી કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરી અવળે રસ્તે ચાલતું હોય તે પણ તેના વિનયાદિકનું ઉલ્લંઘન કર્યા સિવાય સારી શિખામણ આપી આ લોક અને પરલેકના અતિ તીવ્ર દુઃખ વિપાકને સંભળાવી મદનરેખા તથા લીલાવતીની પકે દરેક પ્રકારે તેની મતિ સુધારી એહિક અને પાકિક સુખને ભાગી બને તેમ પ્રયત્નશીલ થવું જોઈએ. ગૃહસ્થાને આવા પ્રકારની સ્ત્રીને જ સંગ્રહ કરે ઉચિત છે. પુરૂષ હમેશાં વ્યવસાયાદિ કાર્યમાં વ્યગ્ર હોવાને લીધે પિતાના જાતિબંધુ,ધર્મબંધ અથવા મુનિમહાશય પિતાને ઘેર પધાર્યા હોય તે પણ તેમનું આતિથ્ય યથાચિત કરી શક્તા નથી. પણ જે રી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જાણ હેય તે પિતાના આંગણે કલ્પવૃક્ષ સમાન સત્પાત્ર પ્રાપ્ત થતાં, એગ્ય આગતા સ્વાગત કરી અલેકમાં પિતાના પતિના કુળમાં યશ અને કીર્તિને વધારો કરે છે, અને પરલે કમાં પિતે અખંડિત પુણ્યની ભાગીદાર થઈ પતિને પણ પુણ્યનું ભાગી બનાવે છે, આ કાર્ય ખાસ કરીને સ્ત્રીનું છે, અને તે વિદુષી સ્ત્રી સારી રીતે કરતી હોવાથી પતિને આવી ચિંતામાંથી દુર રાખે છે. આવી રીતે ગૃહસ્થને કલ્પલતાની પેઠે સ્ત્રી શું શું સંપાદન નથી કરતી? અર્થાત જેમ કલ્પલતા મનવાંછિત આપી સુખી કરે છે તેમ ગુણવતી સ્ત્રી પણ પિતાના રવામીને અનુકુળ વર્તન કરી આ લેકમાં જ રવર્ગ અને મેક્ષના સુખને આપનારી થાય છે. વળી કહ્યું છે કે " दक्षा तुष्टा प्रियालापा, पतिचिताऽनुवर्तिनी।। कुलौचित्याझ्ययकरी,सा लक्ष्मीरिव चापरा॥१॥" શબ્દાર્થ_“શાણી, સતિષ પામેલી, પ્રિય બેલનારી, પતિના ચિત્તને અનુસરનારી અને પિતાના કળને ઉચિત ખરચ કરનારી સ્ત્રી જાણે બીજી લક્ષ્મી હેય નહીં? [ તેમ ઘરને શોભાવે છે. ] ૧૦ ભાવાર્થ–સ્વી વિદુષીજ હેવી જોઈએ, અને તેવી હોયતેજ દરેક કાર્યમાં વિવેક પુરસ્ય વર્તન કરનારી સ્ત્રી પતિના વૈભવમાં સતેષ માનનારી હેઈ શકે છે.ગમેતેટલી ઐશ્વર્યતા, દિવ્ય સંપત્તિ અને માન પ્રતિષ્ઠા હોય તે પણ જ્યાં સુધી સંતોષપ્રાપ્ત થયે નથી ત્યાં સુધી એશ્વર્યતા વિગેરે દુઃખદાયી થાય છે કારણ કે ઐશ્વર્યાદિની પ્રાપ્તિ તે પૂર્વ પુણ્યને અનુસરીને રહેલી છે માટે પુણ્યાનુસાર પ્રાપ્ત થએલા ઐશ્વર્યાદિકથી અસંતોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy