SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ગુણ વર્ણન. આ લેાક તથા પરલેાકના અહિતને માટે થાય છે. ઉપરોક્ત સર્વ પ્રકારનો સદાચાર આચરણ કરવા લાયક છે. માટે વિશેષ ધાભિલાષી પુરૂષે સદાચાર ગ્રહણ કરવા ચુવુ· નહીં. કહ્યું છે કેઃ— t विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां, प्रिया न्याय्या वृत्तिर्मलिनम सुनङ्गेप्पसुकरम् सन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः, सतां केनोद्दिष्टं विषममसिधारा व्रतमिदम् ॥ ६ ॥" શબ્દાર્થ:- આપત્તિ વખતે ઉચ્ચ સ્થિતિમાં રહેવું, મહાન પુરૂષાના પગલે ચાલવુ, ન્યાય વૃત્તિને પ્રિય કરવી, પ્રાણના નારા થતાં પણ મલિન કાર્ય ન કરવુ; દુર્જનની પ્રાર્થના ન કરવી અને પાતે નિર્ધન થયા છતાં પણ મિત્રની પાસે યાચના કરવી નહીં. એવું અતિ વિષમ અને ખડ્રગની ધારા જેવુ' આ વ્રત સત્પુરૂષાને કાણે બતાવ્યુ હશે ? દુઝ ૪૯ આ ‘શિષ્ટાચાર પ્રશ’સા’ ધરૂપી ખીજનો આધાર અને પરલેકમાં ધર્મ પ્રા મિનુ` કારણ હાવાથી મેક્ષરૂપ કાર્યનું કારણ થાય છે. તેને ચારના દ્રષ્ટાંતથી બતાવે છે– કાશ’બીપુરીમાં સદ્ભૂત ગુણ્ણાના ઉત્તમ ભંડાર રૂપ અને જૈન ધર્મના આસ્વાનથી ઉલ્લાસ પામેલેા જિતારિ નામે પ્રખ્યાત રાજા હતા, અને તેજ નગરીમાં મ્હાટી ઋદ્ધિવાળા ધન અને યક્ષ નામના એ શેઠીયા રહેતા હતા. તેમાં ધન શ્રેષ્ઠીને પેાતાના કુળને આનંદ આપનાર ધર્મપાલ નામે પુત્ર હતા, અને યક્ષ શ્રેષ્ઠીને દ્રવ્યની વૃદ્ધિ કરનાર વસુપાલ નામે પુત્ર હતા. અનુક્રમે તે અન્ને મનેાહર એવી ચેાવન વયને પ્રાપ્ત થયા, અને પૂર્વ જન્મના સંસ્કારને લીધે માલ્યાવસ્થાથીજ તે બન્નેને ક્ષીર નીર પેઠે અત્ય'ત આશ્ચર્યકારક મિત્રતા થઇ. તે બે મિત્રામાંથી એકને જે રૂચે તે બીજાને પણ રૂચતું હતું. તેથી લાકમાં આ બન્ને એક ચિત્ત વાળા છે એવી પ્રસિદ્ધિને પામ્યા. તે પછી પોતાના કુળને ઉચિત કાર્ય કરતાં તે બન્નેના દ્વિવસે નિર્ગમન થતા હતા. તેવામાં એક વખતે તે નગરીના ઉદ્યાનમાં જગત્વત્સલ શ્રીમાન્ મહાવીર સ્વામીનુ આગમન થયું', અને દેવાએ સમેાસરણની રચનાકરી.આ વાતની ખબર પડતાં નગરના લેાકેાની સાથે કેશ'મીના રાજા જિતારિ વીરપ્રભુને વંદન કરવા ગયા. કુતૂહુળમાં તપર તે બે શેઠીઆના પુત્રા પણ ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy