________________
રાયશિત ગુણવર્ણન.
૨૧૩ येषां न विद्या न तपो न दानं न चापि शीलं न परोपकारः। ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥७॥
શબ્દાર્થ –જે પુરૂષને વિદ્યા તપસ્યા, દાન, શીલ અને પરોપકાર હોત નથી તે પુરૂષે આ મનુષ્ય લેકમાં પૃથિવીને ભારભૂત થઈ મનુષ્યના રૂપને ધારણ કરી મૃગપણે પરિભ્રમણ કરે છે. છે ૭.
આ પ્રમાણે કોઈ કહે છતે હરિણે ઉત્તર આપે કેखरे शीर्ष जने मांसं त्वचं च ब्रह्मचारिषु । शृङ्गे योगीश्वरे दद्यान्मृगः स्त्रीषु स्वलोचने ॥८॥ શબ્દાર્થ:--હરિણ સ્વરને માટે મસ્તક, મનુષ્યને માંસ, બ્રહ્મચારીઓને ચર્મ, ગીશ્વને શીંગડાઓ અને સ્ત્રીઓને પિતાના લોચન આપે છે. અર્થાત હિરણને કહેવાનો આશય એ છે કે મહારા શરીરના સઘળા અવયવે પરોપકારને માટે છે. અને મનુષ્યનો તો એક પણ અવયવ ઉપયોગમાં આવતો નથી તે મારી સાથે મને નુષ્યની બબરી કરવી તે ઠીક નથી. ૮
વળી અહીંઆ પરંપકારના સંબંધમાં વિક્રમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે
એક વખતે નદીના કિનારા ઉપર વીરવૃત્તિથી આમ તેમ ફરતા વિકમરાજાએ એક બ્રાહ્મણને નદીના પૂરમાં ખેંચાતો જોઈ પપકાર કરવામાં રસવાળા રાજાએ તેને પાણીમાંથી બહાર કાઢયે. તેના બદલામાં બ્રાહ્મણે શ્રી ગિરિનામના પર્વત ઉપર દેવતાના આરાધનથી પ્રાપ્ત થએલી કાળી ચિત્રાવેલ રાજાને અર્પણ કરી તે લઇ ઉજયિની તરફ પાછા ફરતા માર્ગમાં દ્રરિદીને જેઈકૃપાપરાયણ થએલા રાજાએ તે ભિક્ષને કાળી ચિત્રાવેલ આપી દીધી. ત્યારબાદ બ્રાહ્મણે કહ્યું કે–“જે રહેમદિલના રાજાએ દુખેથી મેળવેલી કાળી ચિત્રાવેલ એક દ્રરિદીને આપી દીધી તેવા હે વિક્રમાદિત્ય? પપકાર કરવામાં હારી બબરી કરનાર આ પૃથ્વિી ઉપર બીજે કેણ હોઈ શકે ? ” કેઈજ નહીં. જુવો અચેત પદાર્થો પણ નીચે બતાવ્યા પ્રમાણે ઉપકાર કરનારા હોય છે स्थानभ्रंशखराधिरोपणशिरश्चिखिल्लसंधारण
शुष्यत्पांशुनिवेशपादहननक्लेशभ्रमाद्याः क्रियाः । धात्रा यद्यपि चक्रिरे मृदि तथाऽप्युऽर्वीभवत्वादियं
पात्रीभूय परोपकारकृतिभूर्युक्तं कुलीने ह्यदः ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org