________________
0€0080080090000000000000000000000000000000000000
જનાભિમુખ પ્રતિભા
હજારો વર્ષ પૂર્વની પૌરાણિક કથાનાં સિદ્ધાંતવાદી આદર્શોના નમૂના જેવાં પાત્રામાં માણસને જેટલા રસ પડે છે. તેથી વિશેષ રસ તેને તેનાં સમકાલીન પાત્રોનાં વિચાર, વાણી, વન આદિમાં પડે છે. એ સમકાલીનામાંથી વ્યક્તિ જો ધર્મગુરુ હાય અથવા સંસારમાં રહ્યાં છતાં પદવી, પૈસા કે કીર્તિના લાભને વશ ન થનાર નિર્માહી હોય તેા જનસમાજ તેના પર પૂજાના કળશ ચડાવે છે. કારણ, એના પરિચયથી લેાકેાના દિલમાં શ્રદ્ધા, ભક્તિ, સૌમ્યતા, સરલતા, આત્મનિરીક્ષણ આદિ ગુણે! બંગે છે. જીવતરને એક પ્રકારનું ઘડતર- સ્થાન મળી રહે છે,
સામાન્ય વ્યક્તિએ વિષે જો આમ હાય તે જેમણે સમગ્રતયા સંસારને ત્યાગ કર્યા છે, આત્માન્નતિના પંથે પ્રયાણ કર્યું છે. ચારિત્ર્યશુદ્ધિ જાળવી છે, એવી સ ંત વિભૂતિઓને વિષે તેા કહેવું જ શું? આચાર્ય વિજયનેમિસૂરિજીનુ તા જૈનધર્મ ગુરુઓમાં પણ વિશિષ્ટ સ્થાન છે. એક સામાન્ય વ્યક્તિ નેમચંદમાંથી મુનિ, પન્યાસ અને આચાર્ય વિજયનેમિસૂરિની પદવી પ્રાપ્તિએ પહોંચે, એ એમના આધ્યાત્મિક જીવનમાં વસેલ સંયમ, સાધના, જ્ઞાને પાસના આદિના ઉત્કર્ષ વાચક ક્રમ દર્શાવે છે. એમની જીવનસાધનામાંથી તારવી શકાય કે—સામાન્ય મનુષ્ય પણ જે આત્મનિરીક્ષણ કરવામાં, સત્ય-અહિંસા-અપરિગ્રહ જેવા ગુણાને દૈનિક વ્યવહારમાં આચરવામાં સતત પ્રયત્નશીલ રહે, તે તે ઘણી ઊંચી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે.
સાધુઓના જીવનમાં ભાગ્યે જ અને એવી ઘટના એ છે કે-વિજયનેમિસૂરિના જન્મ જે ઘરમાં થયા હતા તેમાં જ તેઓ કાળધર્મ પામ્યા હતા, અને તે પણ કેટલા વિશાળ શિષ્યપરિવાર મૂકીને. ઉદયસૂરીશ્વરજી, નંદનસૂરીશ્વરજી, દર્શનસૂરિ, વિજ્ઞાનસૂરિ, લાવણ્યસૂરિ વગેરે આચાર્યા, ઉપાધ્યાયા, પન્યાસા, ગણિવર્ય, મુનિભગવ ંતા તેમજ સાધ્વી સમુદાય મળીને તે ઘણા માટેા સમુદાય કહી શકાય, આ સૌ જૈન તથા અમુક પ્રમાણમાં જૈનેતર સમુદાયાના આધારસ્તંભ બની રહે એ નાનીસૂની બીના તેા નથી જ.
આચાર્યશ્રીની લાકસેવાઓ પણ ઘણી જાણીતી છે. ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના અનેક સ્તર અને સ્થળના લેાકેામાં વિચરીને એમણે અહિંસાને ઉપદેશ આપ્યા છે. દુષ્કાળ જેવી વિપત્તિવેળાએ અછતગ્રસ્ત વિસ્તારોમાં ફરીને દુષ્કાળગ્રસ્ત લોકોને માટે સહાય અને રાહતકાર્યાના પ્રબંધ કરાવ્યે છે. તદુપરાંત સામાજિક જીવનક્ષેત્રે ઉદ્દભવતા
dence, wawad:www.dabadowed
Jain Educationa International
૨૮
For Personal and Private Use Only
www.jainelibrary.org