________________
૬૮૪
વરદા શિખર છે? 4 નકુમારને જઈને નારદજીની આંખ કરી ગઈ. શું સુંદર પુત્ર છે! દેહથી જે સુંદર છે તે તે ગુણવાન અને પરાક્રમી બનશે. રૂપમાં તે બીજે કામદેવ જોઈ લે. તેને જોતાં આંખ ધરાતી નથી તે પુત્ર છે. જેઈને નારદજી ખૂબ હર્ષ પામ્યા.
હવે નારદજી ત્યાંથી દ્વારકા નગરી તરફ જવા માટે નીકળ્યા. આ તરફ જ્યારથી નારદજી સીમંધર ભગવંતને પૂછવા નીકળ્યા હતા ત્યારથી રૂક્ષમણી અને કૃષ્ણજી બંને મેઘની જેમ તેમની રાહ જોઈ રહ્યા હતા. જેમ અષાડ મહિને પૂરો થાય, શ્રાવણ અડધે ચાલ્યા જાય તે પણ વરસાદ ન આવે તે ખેડૂતે કેવા અધીરા બનીને આકાશ તરફ મીટ માંડે છે તેમ કૃષ્ણ અને રૂકમણી નારદજીની રાહ જોઈ રહ્યા છે કે કયારે નારદજી આવે ને પુત્રના સમાચાર લાવે. એ અરસામાં નારદજી દ્વારકા નગરી પહોંચી ગયા. નારદજીને જોઈને રૂક્ષમણીને પિતાના બાપ આવ્યા હોય તેટલો આનંદ આવ્યું. તેમને વિનય કરી ખૂબ આદર સત્કાર કર્યો. હવે પુત્રના સમાચાર જાણવા માટે તેઓ અધીરા બન્યા છે. નારદજી તેમને પ્રદ્યુમ્નકુમારનો સમાચાર આપશે ત્યારે કે આનંદ થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૦ર ભાદરવા વદ ૯ ને શુક્રવાર
તા. ૧૭-૯-૭૬ અનંત કરૂણાનિધી ભગવાનના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધાંત. જે વાણી દુઃખેને ભેદનારી, સંતાપને દૂર કરનારી અને જન્મ મરણના ફેરા ટાળનારી છે. એવી વીરવાણી કેને રૂચે છે ? તે બતાવતાં કહ્યું છે કે
" सुखाय ते तीर्थकरस्य वाणी, भव्यस्य जीवस्य न चेतरस्य । સુવાય તે સર્વ વન મેવો, વીસ વચ્ચે મુકવાયતે ન ” .
જે ભવ્ય જીવે છે તેને આ વાણી રૂચે છે. તીર્થકર ભગવંતની વાણી સાંભળી તેનું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. જેમ મેઘ ગાજે ને મેર નાચે તેમ વીતરાગ વાણી સાંભળતાં ભવ્ય ના હૃદય નાચી ઉઠે છે.
આપણે મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. અંગદેશની રાજધાની ચંપા નગરીમાં ચંદ્રછાયા નામના પરાક્રમી રાજા રાજ્ય કરે છે. તે નગરીમાં અરહનક પ્રમુખ ઘણું વહેપારીઓ વસે છે. વહેપારીઓ તે ઘણું છે પણ તેમાં જેને ધન કરતાં ધર્મ વહાલો છે, પેઢી કરતાં પરમેશ્વર અને સંતાન કરતાં સંત વહાલા છે