________________
रूपानुमानं भवति, एवमभिमन्यमानैः सौगतैः स्वीकृतमेव कार्यानुमापकं प्रतिबन्धाभाव-विशिष्टं कारणान्तरसहकृतं च किमपि कारणम्, तस्मात् कारणस्यापि हेतुत्वमङ्गीकरणीयमिति भावः, एवम् 'अस्त्यत्र छाया छत्रात्' इत्यादीन्यपि कारणानुमानानि ज्ञातव्यानि ॥ ७० ॥
બૌદ્ધા કહે છે : વિધિરૂપ સાધ્યની સિદ્ધિમાં સ્વભાવ અને કાર્ય આવા પ્રકારના બે જ હેતુને હેતુરૂપે અંગીકાર કરવો જોઈએ. પરંતુ, કારણ હેતુને નહીં. કેમ કે તપેલા લોઢાના ગોલકમાં વહ્નિરૂપ કારણ વિદ્યમાન હોવા છતાં પણ ધૂમરૂપ કાર્ય ઉત્પન્ન થતું નથી. આવી માન્યતાવાળા તેઓને કારણને પણ હેતુરૂપે સ્વીકાર કરાવવા માટે તપસ્વિચ એ પ્રમાણે સૂત્રમાં કહેલું કહે છે કે
આમ્ર વિગેરે ફળોમાં રૂપ અને રસને ઉત્પન્ન કરનારી એક જ સામગ્રી છે. કારણકે રાત્રીમાં ચખાતા એવા કેરી વિગેરે ફળના રસથી ઉત્પન્ન થનારી સામગ્રીનું અનુમાન કરાય છે. અને તે સામગ્રીવડે રૂપનું અનુમાન કરાય છે. (જેમકે કેરી ચાખતાં મીઠી છે તો પીળી હોવી જોઇએ ખાટી છે તો લીલી હોવી જોઈએ.) આ પ્રમાણે માનતા એવા બૌદ્ધો વડે કાર્યને જણાવનાર પ્રતિબંધના અભાવથીયુક્ત (જેમાં રહેલી શક્તિ અલિત છે તે પ્રતિબંધ છે, અને જેમાં શક્તિ અખ્ખલિત હોય તે પ્રતિબંધાભાવ) એવું, તેથી બીજા કારણોથી સહકારી એવું કોઇપણ કારણ સ્વીકાર્યું છે જ. તેથી કારણને હેતુ તરીકે સ્વીકારવા યોગ્ય છે. અને આ પ્રમાણે “સર્વત્ર છાયા છત્રસ્િ' અહીં છાયા છે કેમ કે છત્ર હોવાથી, વિગેરે આવાં કારંણ હેતુનાં અનુમાનો જાણવાં.
अथ पूर्वचरोत्तरचरयोः स्वभाव-कार्य-रणहेत्वनन्तर्भावाद्वेदान्तरत्वं समर्थयन्ते
પૂર્વચર અને ઉત્તરચર હેતુ પણ સ્વતંત્ર છે. તેનો સમાવેશ કોઇમાં થતો નથી તે જણાવે છે.
पूर्वचरोत्तरचरयोर्न स्वभावकार्य-कारणभावौ, તયો: વોર્નિવ્યવહિતાવનુપનામાન્ રૂ-૭૨ |
પૂર્વચર અને ઉત્તરચર હેતુઓનો સ્વભાવાત્મક હેતુ કે કાર્ય-કારણભાવહેતુમાં સમાવેશ થઈ શકતો નથી. કારણ કે સ્વભાવહેતુ, કાર્યહેતુ અને કારણહેતુ કાળના વ્યવધાનમાં જણાતા નથી. .
૧૧૮
,