________________
यः प्रमाता पूर्वं प्रमाणतया परिणतया परिणतः स एव फलतया परिणमति, इत्येकप्रमात्रपेक्षया प्रमाण-फलयोरभेद इति ॥ ९ ॥
ટીકાર્ય- જે પ્રમાતા પૂર્વે પ્રમાણપણાવડે પરિણત થયો તે જ આત્મા ફલપણાવડે પરિણામ પામે છે, એ પ્રમાણે એક પ્રમાતાની અપેક્ષાએ પ્રમાણ અને ફલમાં અભેદ છે. જેમ બાલપણે રહેલો દેવદત્ત યુવાનપણે પણ એજ હોય છે જો બન્ને ભિન્ન હોય તો બાલચેષ્ટાની ભૂલોમાં સમજણ આવતા કેમ લજ્જાદિ આવે? માટે બાલ અને યુવાવસ્થામાં દેવદત્તની અપેક્ષાએ અભેદ છે, તેમ અહિં પણ જાણવું
एतदेव भावयन्तिઅભેદને ફરીથી પુષ્ટ કરતા જણાવે છે. यः प्रमिमीते स एवोपादत्ते परित्यजत्युपेक्षते વેતિ સર્વસંવારિરિસનિતમકુમવાન્ . ૬-૧૦ |
સૂત્રાર્થ-જે આત્મા જ્ઞાન કરે છે, તે જ આત્મા ગ્રહણ કરે છે, ત્યાગ કરે છે અને, ઉપેક્ષા કરે છે. એ પ્રમાણે સર્વવ્યવહારીઓ વડે અસ્મલિતપણે અનુભવાય છે
यः प्रमाता प्रमाणेन वस्तु निश्चिनोति स एव तद् गृह्णाति परित्यजति उपेक्षते चेति सर्वैरनुभूयते, न त्वन्यस्य प्रमातुः प्रमाणतया परिणामोऽन्यस्य चोपादानबुद्ध्यादिलक्षणफलतया इति कस्यापि प्रतीतिरस्तीत्यर्थः ॥ १० ॥
ટીકાઈ- જે પ્રમાતા પ્રમાણવડે વસ્તુ નિશ્ચિત કરે છે તે જ આત્મા વસ્તુને ગ્રહણ કરે છે ત્યાગ કરે છે અને ઉપેક્ષા કરે છે એ પ્રમાણે સર્વે પ્રાણીઓ વડે અનુભવ કરાય છે પરંતુ અન્ય બીજા પ્રમાતા ને પ્રમાણપણાવડે પરિણામ થયો હોય, અને બીજા પ્રમાતા ઉપાદાન(ગ્રહણ) બુદ્ધિ આદિ લક્ષણરૂપ ફળપણા વડે પરિણત થાય આવું કોઈને પણ પ્રતીત થતું નથી.
(વિશેષાર્થ-જેમ લૌકિકવ્યવહારમાં જે બાળકે રમકડું જોયું તેને સામે પડેલા રમકડાનું જ્ઞાન (પ્રમાણ) થાય છે તે જ બાળક તેને સારું માનીને ગ્રહણ કરવાની બુદ્ધિવાળો થાય છે, જે જાણે તે જ ગ્રહણ કરે છે અન્ય નહિ. એવી જ રીતે ખૂણાં માં રહેલા સર્પ ને જોઈને સર્પનું જ્ઞાન જે આત્માને થાય છે તે
૨૦૯