Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 302
________________ | વિશેષાર્થ- સામાન્ય વિશેષાદિ અનેક ધર્મોનું પ્રતિપાદન કરનાર અધ્યવસાય તે નૈગમનય છે આ પ્રતિપાદન ગૌણમુખ્યભાવે હોય છે ગૌણમુખ્ય ભાવ નિયત નથી વક્તાની ઇચ્છા પ્રમાણે હોય છે એટલે કે બે પર્યાયની વાત ચાલતી હોય ત્યારે બે પર્યાયમાંથી કોઈપણ એક પર્યાયને મુખ્ય કરીને અન્ય પર્યાયને ગૌણ કરવા તૈગમનય તૈયાર હોય છે તેવી જ રીતે બે દ્રવ્યોમાં તથા દ્રવ્ય અને પર્યાયમાં પણ વક્તા પોતાની ઇચ્છા મુજબ એકને મુખ્ય કરે અને બીજાને ગૌણ કરે છે. ટૂંકમાં નૈગમનય એટલી વિશાળ દૃષ્ટિ ધરાવે છે કે ગૌણમુખ્યભાવનું નિયમન પોતે કરતો નથી પણ તેને વક્તાની વિવક્ષાને આધીન રહેવા દે છે વક્તા ક્યારેક દ્રવ્યને પ્રધાન બનાવે ક્યારેક પર્યાયને તે આ નય સ્વીકારી લે છે अथास्योदाहरणाय सूत्रत्रयीमाहुः- હવે નૈગમનયના ઉદાહરણ માટે ત્રણ સૂત્રો બતાવે છે. - સવૈતન્યમાત્મનીતિ થયો છે ૭-૮ // સૂમાર્થ- આત્માને વિષે સત્ વિશિષ્ટ ચૈતન્ય છે અહીં બે ધર્મોનું (ગૌણમુખ્યભાવે) ઉદાહરણ છે - प्रधानोपसर्जनभावेन विवक्षणमिहोत्तरत्र च सूत्रद्वये योजनीयम् । • सत्त्वविशिष्टं चैतन्यं-'सच्चैतन्यमात्मनि वर्तते' इति वाक्ये चैतन्याख्यधर्मस्य प्राधान्येन विवक्षा, तस्य विशेष्यत्वात्, सत्त्वाख्यधर्मस्य तु गौणत्वेन, तस्य चैतन्यविशेषणत्वादिति धर्मद्वयविषयको नैगमस्य प्रथमो भेदः ॥ ८ ॥ * ટીકા- પ્રધાન અને ગૌણ ભાવવડે વિવક્ષા છે એ અહીં તથા હવે પછીના બે સૂત્રમાં જોડવું. સત્ત્વવિશિષ્ટ ચૈતન્ય એટલે કે “સત્ ચૈતન્ય આત્મામાં વર્તે છે” એવા વાક્યમાં ચૈતન્ય નામના ધર્મની પ્રધાનપણે વિવક્ષા છે કેમકે તે વિશેષ્ય છે અને સત્ત્વ નામના ધર્મની ગૌણપણે વિવેક્ષા છે કેમ કે સત્વએ ચૈતન્યનું વિશેષણ છે એટલે કે અહીં ઉદાહરણમાં આત્મા ધમી છે. તેના સત્ત્વ અને ચૈતન્ય બે ધર્મો છે, આ બે ધર્મોમાં ફરક એટલો કે ચૈતન્ય નામનો ધર્મ વિશેષ્ય હોવાથી મુખ્ય છે અને “સત્ત્વ” નામનો ધર્મ તેનું વિશેષણ હોવાથી ગૌણ છે. માટે આ બે ધર્મના વિષયવાળો નૈગમનયનો પ્રથમ ભેદ છે. ૨૬૭

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348