________________
ભાંગા થતા હોવાથી ‘સપ્તભંગી' જ બને છે.
પ્રથમના બે ભાંગા થયા બાદ બાકીના પાંચ ભાંગાઓ બે બેના મીલનથી થાય છે જ્યારે વસ્તુનું સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વસ્વરૂપ દર્શાવીને પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિત્વ દર્શાવવામાં આવે અથવા પ્રથમ પરદ્રવ્યાદિરૂપે ‘નાસ્તિત્વ' જણાવી સ્વદ્રવ્યાદિરૂપે “અસ્તિત્વ' જણાવવામાં આવે છે ત્યારે પહેલા અને બીજા ભાંગાના સંયોગથી બનેલા ત્રીજાભાંગાનું જ્ઞાન થાય છે જેમ “યાત છન્નતિ"
જ્યારે “અસ્તિ અને નાસ્તિ' બંને ધર્મને એકી સાથે પ્રધાન શિને વસ્તુને કહેવાની ઇચ્છા થાય ત્યારે તે બંને ધર્મથી યુક્ત એવી તે વસ્તુનો વાચક કોઈ એક શબ્દનો અસંભવ હોવાથી તે જીવાદિ પદાર્થો અવક્તવ્ય બની જાય છે તેનું જ્ઞાન કરાવનાર ચોથો વિકલ્પ છે જેમ- "દિવષ્ય'
પાંચમો ભાંગો પહેલા અને ચોથા ભાંગાના સંયોજનથી થાય છે જ્યારે કોઈ વસ્તુ સ્વદ્રવ્યાદિથી અતિરૂપે છે એમ કહીને એકી સાથે અસ્તિ અને નાસ્તિ બંને સ્વરૂપને કહેવાની ઇચ્છા થાય ત્યારે વસ્તુ કથંચિત્ છે જે અને કથંચિત્ અવક્તવ્ય છે જ, એમ ઉલ્લેખ કરનારો પાંચમો ભાંગો છે જેમ કે “સ્વાતિ વિડ્ય'
છઠ્ઠો વિકલ્પ બીજા અને ચોથા વિકલ્પના સંયોગથી ઉત્પન્ન થાય છે જ્યારે વસ્તુના નાસ્તિત્વધર્મને કહીને પછી અસ્તિનાસ્તિ ઉભયસ્વરૂપને એક સાથે કહેવાની ઇચ્છા થાય ત્યારે વસ્તુ કથંચિત્ નથી જ અને કથંચિત્ અવક્તવ્ય જ છે, એમ વિધાન કરનારો છઠ્ઠો ભાંગો છે “યાજ્ઞાતિ स्यादवक्तव्य'
સાતમો વિકલ્પ ત્રીજા અને ચોથા વિકલ્પના સંયોગથી પ્રગટે છે જ્યારે વસ્તુના ક્રમશઃ અસ્તિ અને નાસ્તિ સ્વરૂપને કહ્યા પછી એકી સાથે “અસ્તિ નાસ્તિ' કહેવાની ઈચ્છા થાય ત્યારે વસ્તુ કથંચિત્ છે જ વસ્તુ કથંચિત્ નથી જ અને કથંચિત્ અવક્તવ્ય છે જ. એમ થાતિ સ્થગ્નિાસ્તિ વિંtવ્ય સાતમો ભાંગો જાણવો.
આવી રીતે અનંતી સપ્તભંગીઓ થાય છે સપ્તભંગી કરવાનો આશય એ છે કે કોઇપણ વસ્તુનું સ્વરૂપ એકાંતરૂપે નથી જે જે દર્શનકારો વસ્તુ એકાંત સ્વરૂપ ન હોવા છતાં એકાંતસ્વરૂપ માને છે તેના નિરસન માટે સપ્તભંગી
૧૭૦