________________
જ
ઉત્તરઃ- કેવલ (એકલો) સંકેત અર્થબોધમાં કારણ માનીએ તો સંકેત તો પુરૂષની (ઈચ્છાને) આધીન વૃત્તિવાળો છે એટલે કે પુરૂષની ઇચ્છા પ્રમાણે જ શબ્દ પ્રયોગ હોય તો પુરૂષની ઇચ્છા ઉપર કોઇ પણ જાતનો પ્રતિબંધ ન હોવાથી ઘટપટાદિ પદાર્થો છે તે પુરૂષની ઇચ્છાને અનુસારે તો ક્યારેક વાચક કહી શકાવા જોઇએ તથા તે જ ઘટપટાદિ પદાર્થો કે જે વાચક છે તે પણ પુરૂષની ઇચ્છા થાય તો વાચ્ય કહેવરાવા જોઇએ. એટલે કે આ રીતે પદાર્થ પણ વાચક હોય અને શબ્દ પણ વાચ્ય હોય એથી વિપરીત વ્યવસ્થા બની જાય પરંતુ આવું બનતું નથી તેથી શબ્દમાં સામર્થ્ય સ્વીકારવું જોઇએ આ પ્રમાણે એકલો સંકેત માનવામાં કે એકલું સામર્થ્યમાત્ર માનવામાં દોષ આવે છે તેથી સામર્થ્ય અને સંકેત એમ બન્ને વડે જ શબ્દને અર્થબોધક તરીકે સ્વીકારવો યોગ્ય છે.
વિશેષાર્થ :- અહિંયા સૂત્રમાં શક્તિ અને સંકેત બન્ને વડે શબ્દ અર્થનો પ્રતિપાદક છે તેમ જણાવ્યું છે કારણ કે નૈયાયિકો માત્ર સંકેતવડે જ અને બૌધ્ધો માત્ર સામર્થ્યવડે જ શબ્દ પોતાના વાચ્ય પદાર્થનો બોધ કરાવે છે. તેવું માને છે તે બન્નેનું ખંડન કરવા માટે ગ્રન્થકારે એકલા સંકેત દ્વારા શબ્દ બોધક થતો નથી તથા માત્ર સામર્થ્ય પણ સંકેતના સહકાર વિના અર્થનો બોધ કરાવનારૂં થતું નથી તેમ જણાવ્યું છે.
स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्द इत्युक्तम् । अथ किमस्य शब्दस्य स्वाभाविकं रूपं, किञ्च परापेक्षमिति विवेचयान्तिશબ્દનું સ્વાભાવિક અને પર-અપેક્ષિત સ્વરૂપ શું છે તે બતાવે છેઃ'अर्थप्रकाशकत्वमस्य स्वाभाविकं प्रदीपवत्
-
यथार्थाऽयथार्थत्वे पुनः पुरुषगुणदोषावनुसरतः ॥४-१२॥ દીપકની જેમ અર્થનો પ્રકાશ (બોધ) કરાવવો તે શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ છે પરંતુ તે અર્થબોધ યથાર્થ છે કે અયથાર્થ છે તે પુરૂષના ગુણદોષને અનુસરે છે.
अर्थावबोधकत्वं स्वाभाविकमेव, यथार्थाऽयथार्थप्रतिपादकत्वं तु पुरुषगुणदोषवनुसरतः । यदि पुरुषः सम्यग्दर्शी दयालुः सत्यवक्ता च तदा तत्प्रयुक्तः शब्दः यथार्थज्ञानं जनयति, अन्यथा तु अयथार्थज्ञानमुत्पादयतीति । १२ ।
૧૫૩