________________
માવાડતિયોતિં યથા શરૂ: પાકુર દવ' અહીંયા ઉદાહરણમાં એવકાર. વિશેષણ એવા પાકુર શબ્દની સાથે જોડાયો છે તેમાં બતાવેલ લક્ષણનો સમન્વય આ રીતે કરવો દેતા વચ્છ શહુર્વ છે. તત્સમનાથRUTIત્યતામાવો- એટલે કે શંખમાં પાંડુરત્વનો અત્યંત અભાવ છે જ નહીં પરંતુ પીતત્યાદિનો અત્યંત અભાવ છે એમાવ: ૪ પ્રતિયો (જેનો અભાવ હોય તે પ્રતિયોગી છે) તેથી પીતત્વમાં પ્રતિયોગીત્વ છે પરંતુ પ્રતિયોત્વિ પાંડુરતમાં છે માટે લક્ષણ ઘટી શકે છે. એનો તાત્યયાર્થ આ પ્રમાણે છે- શંખ શ્વેત જ હોય છે એટલે કે પાંડુર પાસે રહેલો એવકાર શંખમાં થતપણાનો અયોગ દૂર કરે છે તેથી શંખ સફેદ જ છે જ્યારે વિશેષણપદની સાથે જ કારનો. સંબંધ થાય છે ત્યારે આવા પ્રકારનો વ્યવચ્છેદ જણાય છે તેથી વિશેષણ એ વિશેષ્યમાં સર્વીશે વ્યાપીને રહેલુ છે એમ સૂચિત થાય છે અહીં સફેદપણું શંખમાત્રમાં ઉપલબ્ધ છે તેમ સમજાય છે.
અયોગ= યોગનો અભાવ, તેનો વ્યવચ્છેદ તેનો નિષેધ (બાદબાકી કરવી) શંખમાં શ્વેતત્વનો અભાવ નથી માટે અયોગવ્યવચ્છેદ થયો આ અયોગ વ્યવચ્છેદ વિશેષ્યથી ભિન્નમાં વિશેષણની હાજરી અંગે મૌન રહે છે એટલે કે શંખથી અજવસ્તુઓમાં પાંડુરત્વ હોઈ પણ શકે અને ન પણ હઈ શકે આ બાબત સ્પષ્ટ કરતું નથી.
(૨) વિશેષ્યપદની સાથે “વાર(જકાર) જ્યારે વપરાય છે ત્યારે મરાયો વ્યવછે: કહેવાય છે તેનાથી એવો અર્થ પ્રાપ્ત થાય છે કે તે વિશેષણ માત્ર વિશેષ્યમાં જ ઉપલબ્ધ થાય છે પણ વિશેષ્યથી ભિન્નમાં ઉપલબ્ધ થતું નથી કયો વ્યવર્ઝર્વ એટલે વિશેષ્યમત્રતા લાભ્યાતિવ્યવચ્છેદ્રઃવિશેષ્યથી ભિન્ન એટલે કે વિશેષ્ય સિવાયના બીજા પદાર્થોમાં રહેલા તે ધર્મના યોગને દૂર કરે છે જેમ કે પાર્થ gવ ઘનુર્ધાર: અર્જુન જ ધનુર્ધારી છે. અહીં અર્જુનથી બીજામાં ધનુર્ધારીપણું ઉપલબ્ધ થતું નથી એ ફલિતાર્થ થાય છે. અર્જુન જ ધનુર્ધારી છે તેમ કહેવાથી ધનુર્ધારીપણાનો યોગ દુર્યોધનવિગેરેમાં હોય તો તેનો આ વર' મુકવાથી નિરાસ થાય છે.
(૩) જો “વર' (જકાર) ક્રિયાની સાથે મૂકવામાં આવે તો તે અત્યન્તાયો વ્યવછે= અત્યંત અયોગને દૂર કરે છે. .
૧૬૪