Book Title: Neminath Charitra
Author(s): Gunvijay Gani, Jayanandvijay
Publisher: Padmavati Prakashan Mandir

View full book text
Previous | Next

Page 17
________________ “અહે તું મારા કાર્યની ચિંતા કરનાર છે. પુત્રીના વરની ચિતારૂપી સમુદ્રમાં ડૂબેલા એવા મારે તે આજે ઉદ્ધાર કર્યો. હવે ફરીથી તું ત્યાં ધનને ધનવતી આપવા માટે જા? અને મારી આજ્ઞાથી વિક્રમધન રાજાને પ્રાર્થના કર.” આ સમયે ધનવતીની નાની બેન ચન્દ્રવતી પિતાને પ્રણામ કરવા માટે આવેલ હતી. તેણીએ સર્વ સમાચાર જાણ્યા. દૂત પિતાને ઘેર ગયે. ચદ્રાવતી પણ હર્ષિત થઈને આવી અને ધનવતીને દુતના દ્વારા કહેલા સર્વવચને કહ્યા. ધનવતી કહેવા લાગી, “હે બહેન ! તારા વચનને મને વિશ્વાસ આવતો નથી. અજ્ઞાનથી તું બોલે છે. પરમાર્થને જાણતી નથી. તે દૂત બીજા કોઈ કાર્યથી મોકલાતે હશે. મારા કાર્યને જાણવામાં તું તે હજી બાળક છે.” ત્યારે કમલિની બોલી, “હે સખી ! તે દૂત હજી અહીં જ છે. તેના મુખથી જ જાણું લે! કારણ કે હાથમાં કંકણ હેય ! દર્પણની શું જરૂર છે?” આમ કહીને તેના ભાવને જાણીને કમલિની તે દૂતને લઈ આવી. દૂતના મુખથી સર્વ વાત સાંભળીને ધનવતી ઘણી હર્ષિત થઈ તેણીએ ધનકુમારના નામથી એક લેખ લખીને તે દૂતને આપે. તે પછી તે દૂત અચલપુર ગયે. વિક્રમધનરાજાએ તે દૂતને જલદીથી પાછે આવેલ જોઈને વિસ્મિત થઈને, કાંઈક ખેદ પામીને પૂછ્યું “સિંહરાજા કુશળ છે ને ? તું જઈને પાછો જલદીથી કેમ આવી ગયે? અમારું મન વિકલપોથી પીડાય છે.” દૂત બેલે, “હે રાજન ! સિંહરાજાને કુશળ છે, પરંતુ જદીથી મને મોકલવાનું કારણ સાંભળો.” અમારા રાજાની પુત્રી ધનવતી આપના પુત્ર ધનકુમારને આપવા માટે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 441