Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જેને શાસન [અઠવાડિક]
૬. મહાપૂજા
છઠું વાર્ષિક કર્તવ્ય છે મહાપાનું. એટલે કે શ્રાવક શ્રાવિકાએ આર્થિક સ્થિતિ સારી હેય. તે વરસમાં એકવાર તે મહાપૂજા કરવી જ જોઇએ જિનમંદિરમાં, ઉપાશ્રયમાં કે પોતાના ઘરમાં પણ મહાપૂજાનું આયેાજન થઇ શકે છે. - લઘુ શાંતિનાવ, બૃહત્ શાન્તિનાત્ર સિદ્ધચક્રમહાપૂજન વગેરેને મહાપૂજા કહે છે.
જે એવી આર્થિક સ્થિતી ન હોય તે પંચકલ્યાણક પૂજા, નવપદપુજા પેઢી શકાય છે. પરંતુ વરસમાં એકવાર આવી મહાપૂજા થવી જોઈએ. આ કર્તવ્ય સુખી સંપન્ન ગૃહસ્થ માટે છે.
૭. રાત્રિજાગરણ
સાતમું કર્તવ્ય છે રાત્રિનાગરણનું. રાતના વખતે પરમાત્માની ભકિત કરવી જોઈએ. આ કેનિક કર્તવ્ય નથી, વાર્ષિક કર્તવ્ય છે. વરસમાં બે ચાર વાર આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ.
કઈ તીર્થ હૈય, શાન્ત સુંદર જગા હોય ત્યાં યાત્રિકોની સાથે મળીને વાજિ. ત્રાની સાથે મધુર સ્વરે પરમાત્માનું ગાન કરવું જોઇએ. . એવી રીતે તીર્થંકર પરમાત્માને કલ્યાણદિન હોય, ગુરૂને સ્વર્ગારોહણદિન હોય, તે રાતના સમયે પરમાત્માનાં ગીત ગાવાં જોઈએ, પરંતુ એમાં કેટલીક વાત ખાસ લક્ષમાં રાખવાની છે. પહેલી વાત તે એ કે રાતે કંઈ જ ખાવા પીવાનું નહિ થવું જોઈએ.
સભામાથી કેટલાક કે તે તે ચા પાણી કરે છે ને બરાડા પાડીપાડીને ગાય છે.
મહારાજશ્રી એ બેટું છે એટલે તે હું કહું છું કે સતે ખાવાપીવાનું નહિ થવું જોઈએ. બીજી વાત છે લાઉડસ્પીકરની. કથ વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ થઈ જ જવું જોઈએ, કેની શક્તિને ભંગ નહિ કરે જોઈએ દુનિયાને સંભળાવવા વાસ્તે રાત્રિ જાગરણ કરવાનું નથી, પણ પરમાત્માની ભકિત માટે ગાવાનું છે. માટે. શાન્તિથી મધુર સ્વરે પરમાત્માનાં ગીત ગાવાં જોઈએ. પરમામપ્રીતિ વધારવા માટે અત્રિ જાગરણ કરવાનું છે.
(પ પ્રવચનમાળા)