Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ જે એવા દાનની પ્રશંસા કરે છે તે અનેક પ્રાણુઓના શોષણરૂપ વધને પિષે છે. જે એને નિષેધ કરે છે તે ગરીબોને સહાયતાની વૃત્તિને વિચ્છેદ કરે છે. જે અનૈતિક કમાણીમાંથી દાન કરે છે તેને પ્રતિષ્ઠા મળતાં તે વધુ ને વધુ અનેતિક કમાણુ તરફ દેટ મૂકશે પછી થે દાન કરીને બેટી પ્રતિષ્ઠા મળવાની વૃત્તિને પિષત રહેશે. એ ભયને ઓળખીને ઉપર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. મધ્યસ્થ ભાવનાની વિશેષતા એ છે કે વ્યક્તિ, સમાજ કે સમષ્ટિના અનિષ્ટોની સામે લડવું. પણ તે એનાં અનિષ્ટો દૂર થાય અને સારાં બને એવી સતત વાદ્યની ભાવના સાથે. તેની પરાકાષ્ટારૂપે દુષ્ટ-ફ઼ર કે પાપીને દુ:ખમાં જોઈને તેને મદદ કરવી જોઈએ. એટલે જ સાધકો પાણીમાં ડૂબતા વીંછીને, એ જાણવા છતાં કે ડંખ મારશે, છતાં બચાવે છે; આજ માધ્યસ્થ ભાવનાની સક્રિય વાત્સલ્યતા છે. અહીં વીંછીને સ્વભાવ ડંખ મારવાનો છે તે પ્રતિ માધ્યથ્યિ ભાવ પ્રગટ કરી તેને બચાવવાની ભાવનાને સજીવન કરવામાં આવેલી છે. આ ચારે ય ભાવના પરસ્પરમાં ઓતપ્રોત છે. તેમને યથાર્થરૂપે સમજીને આચરવાથી વિશ્વવાત્સલ્યના માર્ગે જવાનું સરળ થઈ પડશે. ચર્ચા-વિચારણું વાત્સલ્યભાવની સક્રિયતા પંજાભાઈ –સવારે નેમિમુનિએ કરેલી વિશ્વવાત્સલ્ય પ્રવાહની ચોખવટ જે રીતે કરી છે તેથી અત્યધિક સંતોષ થયેલ છે. ચાર ભાવનાઓ મૈત્રી, મુદિતા, કરૂણા, અને માધ્યસ્થની છણાવટથી ઘણું જાણવા મળેલ છે. | સામાન્ય રીતે ઉપેક્ષાને જ માનવ માધ્યસ્થભાવનામાં ઘટાવે છે. અનિષ્ટ ધોળે દહાડે ચાલતું હોય તોયે હશે, મરશે, કરશે તે ભરશે એમ કહીને ચલાવી લેવાય છે. તેના બદલે અનિષ્ટને વિરોધ અને ઈષ્ટનું સમર્થન કરવું જોઈએ. આજુબાજુનું વર્તુળ સક્રિય ન બન્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust