Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 21 તો વધીને તેની પ્રતિષ્ઠા કરે છે ત્યારે સાધકે તેની ઉપેક્ષા ન કરતાં, તેને એક રીતે વિરોધ કરવો જોઈએ કે જેથી આવા માન-પાન કે પ્રતિષ્ઠા પ્રતિ લક-માનસ ઉપેક્ષા કરે. એને બદલે જે તે સાધક ઉપેક્ષા રાખે કે મારે શું! તો, એ અનિષ્ટને પ્રસાર થાય અને દાનનું મહત્વ ન રહે. પણ એ એક પ્રકારને વેપાર બની જાય કે હું તમને આટલા રૂપિયા આપું એના બદલે તમે મને આટલી પ્રતિષ્ઠા આપે ! પછી ક્યાં રહી કરુણા કે મદદની ભાવના ! એક બીજી ભ્રામક વિચારણું ઘણી વાર રજૂ થાય છે કે જે એમ દાતાઓના ગુણગાન ન ગાઈએ તો બીજા ક્યાંથી આગળ વધે ! એક વસ્તુ તે નિતાંત સત્ય છે કે તે કમાઈને દાન આપે કે ન આપે; તેની સાથે ધન હમેશાં રહેવાનું નથી. તેના બધા ધનને સંપૂર્ણ ઉપભોગ પણ કરી શકવાને નથી; અને તેને જે જરૂર કરતાં વધારે ધન મળ્યું છે તે બીજાની કમાણીના ભેગે ! એટલે તે દાન આપીને પિતાનું એક કર્તય જ બજાવે છે. એની દાનની પ્રવૃત્તિ બીજા માટે અનુકરણીય છે. પણ તે એની પ્રતિષ્ઠા કરાવે એ તે ઈચ્છનીય નથી, અને તેમાં સાધક પણ સહાયક બને એ તો નિતાંત અકલ્પનીય છે. જરૂર સાધક તેની દાન કરવાની વૃત્તિને ઉત્તેજન આપી શકે જેથી તેને લાભ અન્યને મળતા રહે. એ ઉપરાંત એ પણ ખરું કે દાનવીરના દાનની પ્રતિષ્ઠાને ઉત્તેજન ન મળે એની જેટલી કાળજી રખાય તેનાથી વધારે કાળજી તે તેને અપશબ્દોથી ન નવાજીએ એ અંગે રાખવાની છે. “આ તો. કાળા બજારીઓ છે, ચેરિ છે, લોકોને લૂંટનારે છે !આવા આકરા શબ્દપ્રહાર કરવાથી, તેનામાં દાન કરવાની જે ભાવના અને શક્તિ પ્રગટ થઈ છે, તે અટકી જાય અને તેને લાભ બીજાને મળતો બંધ થઈ જાય; એ વધુ સંભવ છે. જેમ દાનની પ્રતિષ્ઠા ઈચ્છનીય નથી તેમ દાન કરનારને વખોડવું એ પણ ઈચ્છનીય નથી. આવા સમયે મૌન રહેવું એ શ્રેષ્ઠ છે. * સૂય ગડાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે - जे य दानं पसंसंति वद मिच्छत्ति पागिणो। जे एग पडिसेहन्ति, वित्ति छेयं करेंति ते // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust