Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ છે
એમ સ્પષ્ટ કહેવું જોઈએ, પણ એમ નથી તે “પુદ્ગલ કહેવા માત્રથી પુદ્ગલ પરિણામ સમજાઈ જ જાય છે. રૂપીઓ કહે કે સોળ આના કહો, કે સે પૈસા કહે, એ એક જ છે. ગમારને એમાં ફરક લાગે. ગમાર હોય તે “પાંચવીશ' શબ્દથી “ એમ ન સમજે, “સ એ પાંચવીશી જ છે એમ સમજનાર શબ્દની તકરાર ન કરે. એ જ રીતે અહીં પરિણામ વિનાના પુદ્ગલો નથી તેથી માત્ર “પુદ્ગલ’ શબ્દથી પુદ્ગલના પરિણામને પણ સાથે લેવામાં વાંધો નથી. રૂપીઓ કહો, સેળ આના કહે કે સો પૈસા કહે, તે બધું એક જ છે. તેમજ ત્રણ પ્રકારના પરિણામવાળા પુદ્ગલે, પુદ્ગલ' શબ્દમાં સમાય જ છે.
શબ્દમાં સંપૂર્ણ-અથ સમાય જ છે. કોઈને એમ થાય કે જીવના પ્રયત્ન મન, વચન ને કાયાના યોગથી પુદ્ગલ પરિણમન, છે તે પુદ્ગલને ગ–પરિણત ન કહેતાં, અત્ર પ્રયોગપરિણત કેમ કહ્યા ?” યોગથી તે મન, વચન ને કાયાના પુદ્ગલો લેવાય.
ગ શબ્દથી “પુદ્ગલવાળો છવ” એમ સમજાય. પ્રયોગ શબ્દથી એમ સમજવાનું કે, કાયાદિના પુદ્ગલના આલંબનવા જીવને પ્રવેગ યા વ્યાપાર. એકલા જીવના પ્રયોગને પણ પ્રવેગ કહેવાય. જીવને યત્ન અને પ્રયત્ન એ બેમાં ફરક ખશે કે નહિ? “યત્ન” તથા “પ્રયત્ન” શબદ દેખીતા એક સરખા જણાય છે, પણ બારકદષ્ટિથી વિચારતાં તેમાં ફરક સમજાશે. બાહ્ય સાધનથી થાય તે યત્નઃ અને જીવના ઉપગપૂર્વક કરાતા યત્ન તે પ્રયત્ન. જીવને સ્વતંત્ર પ્રયત્ન તે જીવને વ્યાપાર
જીવ કર્મવાળે હોવાથી ચૌદ રાજલકમાં વ્યાપકપણે પ્રગથી પિતાને વ્યાપાર કરે છે. એકેન્દ્રિયના શરીરે ખોરાક રૂપે લેવાય છે ને! ઘઊં, બાજરી વગેરેના પુગલેને મનુષ્ય પોતાના શરીરમાં શરીરપણે પારણમાવ્યાને! ભાષા, મન તથા શ્વાસોશ્વાસ દ્વારા જે જે પુદ્ગલે પરિણુમાવાય છે તે બધાને મગ પરિણામ કહેવાય. એ પુદ્ગલેને રૂપ રસાદિ જાણવાની તાકાત રૂપે, ચક્ષુ જિહાદપણે પરિણમાવ્યા. જીભ દ્વારા રસ જણાય પણ એને બદલે આંગણેથી રસ જણાય?, નહિ જ. એક જ પ્રકારના પુદ્ગલ જીવે જુદા જુદા રૂપે પરિણમાવ્યા છે.