Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૭૮
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ડ્રો માટે પણ રજા માંગવામાં આવે છે. જેમકે ઉપલી કેર્ટમાં અપીલ કરવી હોય, તે પણ નીચલી કેર્ટની રજાથી જ થઈ શકે છે. એ રીતે પૌષધમાં બહવેલ સંદિસાહુ નામના પ્રથમ રજા મંગવારૂપ આદેશની માંગણી, સૂક્ષ્મ-કિયાદ માટે “બહુવેલ કરશું નામના આદેશની માંગણી માટે છે.
રજા માંગવી, રજા માંગવાની રજા માંગવી એવું બંધારણ રજા માંગનાર માટે છે, પણ રજા માંગી માટે ગુરૂએ રજા આપવી જ એમ નથી. કેટેમાં તે તમે કેસ કરે છે, એટલે કેસ ચલાવવાની રજા માંગો છે, પણ કોર્ટ તરફથી તેને ચૂકાદો અગર હકમ ગમે તે પણ અપાય જ છે, કારણકે કે પ્રજાને ચૂકાદો આપવા બંધાયેલી છે. અહીં તેમ નથી “ઈચ્છાકારી” તથા “ઈચ્છાકારેણ શબ્દ પ્રયોગ એ સૂચવે છે, કે રજા માંગનાર એકરાર કરે છે, હું રજા માંગું છું પણ “આપ રજા આપે જ એવું મારું દબાણ નથી. “ઈચ્છા હોય તે રજા આપે” કહેવાનું તાત્પર્ય એ છે કે શરીર પણ સમર્પણ થાય છે. સ્પંડિત જવું વગેરે મેરી ક્રિયામાં તે દરેક વખતે રજા માંગવાનું શકય છે, પણ આંખના પલકારા માટે અશક્ય હોવાથી તેની રજા, બંધારણીય રીતિએ, પ્રથમથી માંગી રાખવામાં આવે છે. ભાડુતથી ઘરમાં ફેરફાર ન થાય; કાંઈ પણ ફેરફાર માલિક મારફત જ તે કરાવી શકે. સંથારે કરવાની પણ રજા માંગવી પડે. સાધુપણમાં તે સાધુએ કાયમ માટે ગુરૂને મન, વચન, કાયા સર્વથા સમર્પણ કરવાનાં છે.
अगाराओ अणगारीय. “મહાવીર ભગવાને દીક્ષા લીધી એમ કહેવું છે, તે સ્થળે પણ ઘરમથી નીકળીને એમ શા માટે કહ્યું ?” અર્થાત અનામી અનારી” એમ કહ્યું છે, એમ કહીને એ જણાવવું છે, કે ત્યાગી થનારાએ આર્થિક, કૌટુંબિક, વ્યાવહારિક સંગાથી દૂર થવું જ જોઈએ. આ રીતે આર્થિક, કૌટુંબિક, વ્યાવહારિક સંગેથી પર થઈને પ્રજિત થનારાએ નવયક આદિ દેવકના સુખ ભેગવવાને અધિકારી થાય છે. પ્રવજત તો થયા, પરંતુ તેમાંય પ્રમાદી વર્ગ હોય. તે પણ પ્રતિજ્ઞામાં બાધ ન લાવે, અને પ્રમાદ ન કરે. સ્વાધ્યાયમાં, ધ્યાનમાં લીન રહે, સમિતિમાં, ગુપ્તિમાં,