Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
ધર્મરત્ન પ્રકરણ
૩૦૬
બધાં રત્નો મળી જાય, તેથી એક એવું રત્ન કલ્પી રાખ્યું કે મારી પાસે રત્ન છે તે બીજા પાસે નથી. બીજા ઝવેરી અભિમાનમાં આવી. જાય, તે વાત ઉડાવવા માટે ચિન્તામણિની વાત કપેલી છે. શેઠિયાનું અભિમાન ગાળવા માટે ચિંતામણિની વાત ગોઠવી છે. આ ગામમાં એ રત્ન નથી. જેમ આ ગામમાં એ રત્ન ન મળયું, તેમ બીજા શહેરમાં પણ એ ન મળવાનું જ નથી. બીજા શહેર ગમે તે શું, પણ ત્રણ જગતમાં એ વસ્તુ જ નથી, તે મળશે કયાંથી? માટે પરદેશ જવાનીવાત ન કર, અને અહીં જ વેપાર કર. આપણું ગામમાં કીતિ મેળવે. પછી દેશાવર જાય તે પણ લેકે કીર્તિ ગાય. લેકે કહેશે કે આ તે. ભાગી ગયે. અહી વેપાર ખેડીને બહાર જઈશ તે વેપાર ખેડવા ગયે છે તેમ લેકે કહેશે. નાના છોકરાને સાત પૂંછડીયા ઉંદરની વાત કરે છે, તેમ લોકોના કહેવા ઉપર આધાર ન રાખ. લેકે ગમે તેમ કહે પણ આપણે તે તત્ત્વ વિચારવું. લોકોના કહેવાથી વસ્તુનું પરાવર્તન ન કરવું.. અહીંથી ન જવા દેવા માટે ચિન્તામણિને કલ્પનામાં લગાડયું, ને બીજે વેપાર કરવા કહ્યું. અને નિર્મળ લમીથી ભરેલું 'તારૂં ભવન થઈ જશે માટે બહાર જવાની વાત છેડી દે.
ચિન્તામણિ રત્નની શોધમાં આ રીતે સમજાવવા છતાં જયદેવ વસ્તુ સમજાતે હેવાથી, માબાપ માત્ર મેથી અહીં વેપાર કરવાનું કહે છે, અને બહાર ન જવા દેવા માટે આટલે આગ્રહ કરે છે. જયદેવને ચિન્તામણિ રત્ન મેળવવાને દ્રઢ નિશ્ચય મજબુત છે. ફલે—ખ નિશ્ચય કર્યો છે, એવા દ્રઢ નિશ્ચયવાળાને પહાડ જેવાં વિનો પણ પરમાણુ જેવા લાગે છે. હવે માબાપે વાર્યો, છતાં જયદેવ ચિન્તામણિ રત્નની શોધ કરવા ઘેરથી નીકળી પડે છે, પહાડોમાં મુસાફરી કઠણ છે, છતાં જયદેવ પહાડમાં ચિન્તામણિની સંભાવના ધારી પર્વતે પર્વતે રખડે છે. પહાડમાં ગયે પણ ચિન્તામણિ ન મળે. સ્વાભાવિક ઉપર આવી ગયું હોય તે જ પહાડમાંથી મળે. ત્યાં તે મળે, એટલે પૂર્વ કાળમાં કેઈ નગરમાં આવ્યું હોય તેમ લાવી, નગરોમાં કર્યો. તેપણ ચિતામણિ ન મળ્યું. કેટલીક વખત મતકાળમાં