Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
નારકી ગતિ અને તેના દુખે
અહીં એ વિચારવાની જરૂર છે કે રાજ્યસત્તા એક વખતના ખૂનની સજા વધારે તે કરી શકતી નથી. રાજ્ય સત્તાની તાકાત નથી. માટે તેવી જ રીતે વધારે ખૂન કરનાર ગુનેગારને પણ એક વખત જ ફાંસીની સજા કરે, કેમકે ત્યાં રાજસત્તાની વધારે કરવાની તાકાત નથી. હવે ગુનેગાર કદી ચેરી પ્રપંચાદિથી રાજના ગુનાથી છટકી પણ જાય, અગર વકીલ બેરીસ્ટોની બુદ્ધિથી નિર્ગુનેગાર જાહેર થાય, તે પણ કમ સત્તાની સજા કેઈપણ ભલભલે પરાક્રમી કે સત્તાશાળી બચી શકતો નથી. હવે એક જિંદગીમાં અનેકના ખૂન કર્યો, અનેક જીને ત્રાસ -ઉપદ્રવ ભયભીત બનાવ્યા. તે ગુનાની શિક્ષા ગૂના કરતાં અનેકગણી ભેગવવાનું સ્થાન એક એ ! માનવું પકશે, કે જ્યાં મરણધિક દુખ અનેક વખત અનુભવવું પડે. અને આયુષ્ય પણ એવું ત્યાંનું લાંબુ માનવું પડે, કે જેથી તમામ શિક્ષાએ ત્યાં પૂરી કરી શકાય. એવી જ રીતે શુભ કર્મનું ફળ પણ ઉત્તમ અને દીર્ધકાળ સુધી ભગવાય તેવા સ્થાને પણ સાથે સાથે માનવા જ પડે. તેવાં સ્થાને દેવેલેકનાં છે.
હવે પ્રસ્તુત આપણે અધિકાર નારકી વિભાગ સંબંધી હોવાથી આગળ ચાલીએ. દરેક મતના શાસ્ત્રોમાં નારકી તે મનાયેલી જ છે. તેમાં. સર્વજ્ઞ ભગવંતએ યથાર્ય નારકીનું સ્વરૂપ જણાવેલ છે. તે સંબંધી શાસ્ત્રોમાં કયાં કયાં શું શું વર્ણન જણાવેલું છે તે જેટલું જેટલું જ્યાંથી જાણવા મળેલું છે તેને ટૂંકે આ છે મારી બુદ્ધિ અનુસાર પરિચય આપવા પ્રયત્ન કરીશ. નારાજપુપતકasr: (ય. ૨૪ રૂક) જકાતને નજીવનિતર લઇ નારાનાં જ તિથિપુ (૪-રૂક)મરિવાર મારવાયુદ-૨૬).
ઉપરોક્ત તસ્વાર્થ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ઘણી જગ્યા એ નાક શબ્દ આવે છે.
હવે નરક શબ્દના નિક્ષેપ વિચારીએ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એમ છ નિક્ષેયા ચાલુ પ્રકરણમાં તેટલા ઉ૫યેગી ન હવાથી ઉપેક્ષા કરી, જરૂરી માત્રનો વિચાર કરીએ, દ્રથની તેને કહેવાય કે અહીં મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં જે આમાએ મતિયાં
* *
*