Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૮૨
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
ખુદ હોય તેને પણ કસત્તા ન ડે. દેવદ્રવ્યનું ભક્ષણ થાય છે તે કર્મીના ઉચે? કર્મોના ઉદયે અમુક ચીજ કરીએ છીએ તે કંઈ બચાવ નથી. કના યેપશને બચાવ માનનારા છીએ. ઉદયમાં મચાવ માત્ર ત્રણ જગ્યાએ છે : તી કર નામકમ, આહારક શીર અને આહારક અગાપાંગ, આ ત્રણમાં માત્ર બચાવ છે.
કોઈ પશુ જીવ ભરપૂર જળપ્રવાહમાં તણાઈ રહેલા છે. પાતાન મેળે કાંઠે-કિનારે આવી રહેલા હાય, તે વખતે તેને પાછે પાણીમાં ધક્કો મારીએ તો તે કેવા કહેવાય ? કાંઠાના થાળે પગ મૂકયે એટલામાં હાથ આડા કર્યાં તા દેખાવમાં શુ કર્યું ? કાંઠે ઊભેલાએ આડું લાકડું ઊભું કર્યું, તેને હત્યારે કહેવે પડશે. સંસારસમુદ્ર તરવા નીકળેલાને વચમાં આડખીલી ઊભી કરે તેને ગણધર હત્યા જેટલું પાપ કહે તેમાં
અડચણ નથી.
પ્રથમ સત્ર પાપના ત્યાગના ઉપદેશ અપાય.
ઉપદેશ કરનાર પ્રથમ સ પાપના ત્યાગને ઉપદેશ કરે. ‘આટલું’ પાપ બાકી રહેવા દે,' તેમ નહિ કહે, તે જ સાધુપણુ’. પછી સામે એમ કહે કે ‘મારાથી સર્વ પાપે! ડાય તેમ નથી,’ તે ત્રસાદિકની હિસા બ્રેડ, મેટા જૂઠાં ડ, મેઢી ચેરી છોડ, પરસ્ત્રીને ત્યાગ કર, મડાપરિગ્રહ-મહાર’ભ છોડ-’ એમ કહે, પરંતુ સલાહકાર વ્યાજ દઈશ.નિ.એમ કહે તો દુષ્ટ સલાહકાર ગણાય. તે પછી અહી... ‘સર્વ પાપને ત્યાગ ન કરીશ,’ એમ કહેનાર સાધુ ધર્મશાસ્ત્રમાં દુષ્ટ ગણાય. શાહુકારીને અંગે ઉચિત એ છે કે પીશીને ઢળીને-મહેનત કરીને દેવુ પડશે તે ઈડા, તે દેવાાળા સાચી દાનતવાળા ગણાય. મહેનત મજૂરી કરીને પણ પારકું દેવું વાળવુ જોઈએ. નહિતર ભવાંતરમાં તેને ઢાર, બળદ, ઊંટ, ગધેડાના જન્મ લઇને માર ખાઈને મજૂરી કરીને વ્યાજ સહિત દેવુ" પુરૂ' કરવુ’ પડશે. ‘નીતિ ખાતર જેના પૈસા લીધા તેના પૈસા મજૂરી કરીને પણ પાછા આપી દેવા જોઈએ– એમ સાચા સલાહકાર સલાહ આપે. આજકાલ બિચારા ભૂખે ન મરે, ઊભે રાખવા ખાતર પતાવટ હાય છે. તમે પગના રક્ષણમાં જાવ છે, મુખના રક્ષણમાં જતા નથી.