Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૧૬
શ્રી આરામોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ ો
- કામણ શરીર તૈજસૂના પણ અનેક જાતનાં પુદ્ગલો છે. આપણને ખેરાક પચાવ મુશ્કેલ પડે છે, અને કબુતર ઝીણું કાંકરી ખાય, તેય પચી જાય છે, તે શાથી? જઠરની તાકાતને અંગે જ તે બને છે. મનુષ્યમાંય મંદ જઠરવાળને હલકે ખેરાક, અરે, પ્રવાહી ખોરાક પણ પચતું નથી, અને સારી જઠરવાળે એકલા વાલ ખાય, તે પણ હરકત આવતી નથી. જઠરના પુદ્ગલો પણ એક જાતનાં નથી. પૃથ્વીકાયાદિનાં તમામ ઔદ્યારિક શરી. રેમાં તૈજસૂ શરીરને સહાય કરવા, એટલે તેની નિર્બળતાને અંગે સહાય કરવા કામણ શશિર રહેલું છે. કેઈ પણ જીવ જજો કે તેજસૂ તથા તેની સાથે રહેલા કામણ શરીરના અંગે આહાર ગ્રહણ કરે છે.
વીશ દંડકમાં, પાંચેય જાતિમાં, છએ કાયમાં, જ્યાં જ્યાં શરીર હોય, ચાહે દારિક, વૈક્રિય કે આહારક શરીર માન્યાં હોય તે પણ બધાયમાં સાથે તૈજસ્ શરીર તથા કાર્માણ શરીર તે માનવાં જ પડે. ઔદારિક, વૈકિય તથા આહારકને તે તે તરીકે પરિપાક કરવાનું કામ તૈયુ કર્મણનું છે. તેજસ્ તથા કર્મણ વગર તે શરીરે બને જ નહિ. તેજસૂનો તથા કાર્મણનાં પુદ્ગલે સાથે હેવાં જ જોઈએ, અને તે પછી જ દારિક વગેરે પુદ્ગલે ગ્રહણ કરે.
પરસ્પર-પરિણમન અપર્યાપ્ત સૂકમપૃથ્વીકાયનાં પગલે કેટલી જાતનાં પુલ્લો પરિ. ગુમાવે છે? પિતાની સંપૂર્ણ શક્તિ પૂરી ન મેળવે, માટે ભલે તેઓ અપર્યાપ્ત છે. શરીર માત્ર બનાવી દે, ઇન્દ્રિયે તથા શ્વાસોશ્વાસની પ્રાપ્તિ ન થઈ તે પણ શરીરનાં પુશલે તે લીધા જ છે. તે પુદ્ગલ કેટલી જાતના પરિણાવે છે? ઔદારિક, તેજસૂ તથા કામણે પગલે તેને પણ હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવે અપર્યાપ્તા હોય તે પણ ત્રણ પ્રકારે પગલવાળા હોય અને પર્યાપ્ત થાય તે પણ ત્રણ પ્રકારના પુદ્ગલવાળા થાય. જેમ બાળક ખોરાક લે તે પણ અને વૃદ્ધ ખોરાક લે તે પણ સાત ધાતુપણે પરિણમે છે, તેમ અપર્યા'તા પૃથ્વીકાયે ગ્રહણ કરેલાં પુદ્ગલે, તેમજ પર્યાપ્તા પૃથ્વીકાયે ગ્રહણ કરેલાં પુદ્ગલ ત્રણ શરીરપણે જ પરિણમે છે.