Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી દશવૈકાલિક તથા ઉપાસક દશાંગ સૂત્રો
ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલાં પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત શ્રી ઉપરોક્ત બે સૂત્રે જૈન ધર્મ પાળતા દરેક ઘરમાં હવા જ જોઈએ. તે વાંચવાથી શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવધ અને એષણિય સેવા શ્રમણ પ્રત્યે બજાવી શકે છે. વર્તમાનકાળે શ્રાવકેમાં તે જ્ઞાન નહિ હેવાને લીધે અંધશ્રદ્ધાએ શ્રમણ વર્ગની વૈયાવચ્ચ તો કરી રહેલ છે. પરંતું “ક૯૫ શું અને અકલ્પ શું? એનું જ્ઞાન નહિ હોવાને લીધે પિતે સાવદ્ય સેવા અર્પી પિતાના સ્વાર્થને ખાતર શમણ વર્ગને પિતાને સહાયક થવામાં ઘસડી રહ્યા છે, અને શ્રમણ વર્ગની પ્રાયઃ કુસેવા કરી રહ્યા છે. તેમાંથી બચી લાભનું કારણ થાય અને શ્રમણને યથાતથ્ય સેવા આપી તેમને પણ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવામાં સહાયક થઈ પિતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે. શ્રમણની યથાતથ્ય સેવા કરવી તે અવશ્ય ગૃહસ્થની ફરજ છે. - પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. શાસ્ત્રોદ્ધારનું અનુવાદન ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫૧, ભરી મેમ્બર થનારતે રૂા. ૪૦૦-૫૦૦ ની લગભગ કીંમતના બત્રીસે આગ ફ્રી મળી શકે છે તે તે રૂ ૨૫૧ ભરી મેમ્બર થઈ બત્રીસે આગમ દરેક શ્રાવક ઘરે મેળવવા જોઈએ. બત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮ પુસ્તકે મળશે. તે તે લાભ પિતાની નિર્જરા માટે પુન્યાનું બંધી પુન્ય માટે જરૂર મેળવે. ઉપરોક્ત બને સૂત્રોની કીંમત સમિતિ કંઈક ઓછી રાખે તે હરઈ ગામમાં શ્રીમંત હોય તે સૂત્રો લાવી અરધી કીંમતે, મફત અથવા પૂરી કીંમતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમાં વસાવી શકે.
–એક ગૃહસ્થ નેધ-ઉપરની સુચનાને અમે આવકારીએ છીએ. આવાં સૂત્રો દરેક ઘરમાં વસાવવા યોગ્ય તેમજ દરેક શ્રાવકે વાંચવા યોગ્ય છે. તંત્રી
“રત્નજ્યોત ” પત્ર તા. ૧-૧૦-૧૭
શ્રી નન્દી સૂત્ર