________________
योगसारः ४/११ नारीकटाक्षैधैर्यमहत्त्वविवेका नश्यन्ति
३३९ धैर्यवन्तो जीवा उपसर्गपरीषहेभ्यो निर्भया भवन्ति । आपत्स्वपि ते सङ्क्लेशं नानुभवन्ति । विघ्नेष्वपि ते स्वप्रवृत्तिं न मुञ्चन्ति । प्रतिकूलताभिरपि तेषामुत्साहो मन्दो न भवति । ते कदाचिदपि स्वारब्धकार्यान्न विचलन्ति । ते स्वमार्गाकेनापि न स्खल्यन्ते। नारीकटाक्षैस्तु तेऽपि विचलन्ति । तेषामपि स्खलना जायते । नारी दृष्ट्वा तेषां धैर्यं गलति । ते निःसत्त्वा भवन्ति ।
केचिज्जना मन्त्रित्व-पण्डितत्व-कवित्व-नपत्व-वासुदेवत्व-चक्रवर्तित्वादीनि पदानि प्राप्नुवन्ति । ते स्वपदानुसारं चेष्टन्ते । ते काञ्चिदपि तां प्रवृत्तिं न कुर्वन्ति येन तेषां पदहानिः स्यात् । सविलासनारीदृष्ट्या प्रहृतास्तेऽपि स्वपदं विस्मरन्ति । ते स्वमहत्त्वं न स्मरन्ति । ते नारीषु लुभ्यन्ति । हीनामपि स्त्रियं ते सेवन्ते । ते तदा स्वजातिकुलादिकं न चिन्तयन्ति ।
केचिद्विवेकिनो जनास्तत्त्वातत्त्वयोर्भेदं जानन्ति । तेऽतत्त्वं त्यजन्ति । ते तत्त्वमेव પલ્દયાવૃત્તિનો ભાવાનુવાદ - વૈર્યવાળા જીવો ઉપસર્ગો અને પરીષહોથી નિર્ભય હોય છે. તેઓ આપત્તિઓમાં પણ સંક્લેશને અનુભવતા નથી. વિનોમાં પણ તેઓ પોતાની પ્રવૃત્તિને છોડતાં નથી. પ્રતિકૂળતાઓથી પણ તેમનો ઉત્સાહ મંદ થતો નથી. તેઓ ક્યારેય પણ પોતે શરૂ કરેલા કાર્યથી વિચલિત થતાં નથી. તેમને પોતાના માર્ગમાંથી કોઈ પણ અટકાવી શકતું નથી. સ્ત્રીના કટાક્ષોથી તો તેઓ પણ વિચલિત થાય છે. તેમની પણ સ્કૂલના થાય છે. સ્ત્રીને જોઈને તેમની ધીરજ ગળવા લાગે છે. તેઓ નિઃસત્ત્વ બને છે.
કેટલાક માણસો મંત્રીપણું, પંડિતપણું, કવિપણું, રાજાપણું, વાસુદેવપણું, ચક્રવર્તીપણું વગેરે પદોને પામે છે. તેઓ પોતાના પદને અનુસાર ચેષ્ટાઓ કરે છે. તેઓ એવી કોઈ પણ પ્રવૃત્તિ કરતાં નથી કે જેનાથી તેમના પદને નુકસાન થાય. વિલાસપૂર્વકની સ્ત્રીની દૃષ્ટિથી પ્રહાર કરાયેલા તેઓ પણ પોતાના પદને ભૂલી જાય છે. તેઓ પોતાના મહત્ત્વને યાદ કરતાં નથી. તેઓ સ્ત્રીઓમાં લોભાય છે. તેઓ હલકી સ્ત્રીને પણ સેવે છે. તેઓ ત્યારે પોતાના જાતિ-કુળ વગેરેને વિચારતાં નથી.
કેટલાક વિવેકી લોકો તત્ત્વ અને અતત્ત્વનો ભેદ જાણે છે. તેઓ અતત્ત્વને છોડે