________________
५१५
योगसारः ५/२६ पापोपायैर्जन्म व्यर्थं नीतम् इत्यर्थः, कूटश्चासौ जन्मावतारश्चेति कूटजन्मावतारः, तम्, व्यर्थम् - मुधा, नीत्वा - अतिवाह्य, बतशब्द आश्वासने, अद्यापि - आयुःशेषेऽपि, चित्तम् - चेतः, धर्मे - श्रमणधर्मश्रावकधर्मभेदाद्विविधे, स्थिरीकुरु - निश्चलं कुरु । __ संसारिणो जीवाः प्रायो धर्मं न जानन्ति । ततस्तेऽनादिकालाऽभ्यासेन चतसृभिः सज्ञाभिर्व्याकुलिताः सन्तोऽन्नकामार्थार्थं धावन्ति भयाच्च धावन्ति । तदर्थं ते सर्वाण्यपि पापानि कुर्वन्ति । ततस्तेऽशुभकर्माणि बध्नन्ति । तेऽलीकमपि वदन्ति । ते कपटमपि कुर्वन्ति । इत्थं सम्पूर्णं भवं यावत्ते पापेषु दोषेषु च रता भवन्ति । ते धर्मं न कुर्वन्ति । यदि ते एवमेव मरिष्यन्ते तहि दुःखैकसङ्कुले भवे भ्रमिष्यन्ति । तान्वीक्ष्य करुणापरीतचेता ग्रन्थकारोऽनेन श्लोकेन तेभ्यो हितशिक्षामाश्वासनञ्च ददाति – 'यद्यपि युष्माभिः सम्पूर्ण भवं यावत्पापकरणेनाऽयं भवो मुधा गमितस्तथापि यावन्मरणं नाऽऽगच्छति तावद्यूयमद्यापि धर्मं कुरुत । तेनाऽऽयतौ यूयं सुगति लप्स्यध्वे । कोटिमूल्यरत्नेन यद्यवकरः क्रीतस्तहि तद्रत्नं व्यर्थं नीतम् । एवं मुक्तिसाधनयोग्येऽस्मिन्भवे यदि पापान्येव कृतानि तॉयं मनुष्यभवो व्यर्थं नीतः । न केवलं व्यर्थं नीतः परन्तु तेन स्वस्य हानिरपि जाता। अद्यापि शेषे आयुषि यूयं चित्तं धर्मे स्थिरीकुरुत । पापव्यापारेषु दृढं रतं स्वीयं मनस्ततो
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - સંસારી જીવો પ્રાયઃ ધર્મને જાણતા નથી. તેથી તેઓ અનાદિકાળના સંસારના અભ્યાસથી ચાર સંજ્ઞાઓને લીધે અન્ન, કામ, ધન માટે દોડે છે અને ભયથી દોડે છે. તેની માટે તેઓ બધા પાપો કરે છે. તેથી તેઓ અશુભ કર્મો બાંધે છે. તેઓ ખોટું પણ બોલે છે. તેઓ કપટ પણ કરે છે. આમ સમગ્ર જીવનમાં તેઓ પાપોમાં અને દોષોમાં રત રહે છે. તેઓ ધર્મ કરતાં નથી. જો તેઓ એમને એમ મરી જશે તો દુઃખથી એકમાત્ર ભરેલા આ સંસારમાં ભમશે. તેમને જોઈને ગ્રંથકારના મનમાં કરુણા ઊભરાઈ જાય છે. તેથી તેઓ તેમને આ શ્લોકથી હિતશિક્ષા અને આશ્વાસન આપે છે – “જો કે તમે આખું જીવન પાપ કરીને આ ભવ ફોગટ પસાર કર્યો, છતાં પણ જ્યાં સુધી મરણ આવતું નથી ત્યાં સુધી તમે હજી પણ ધર્મ કરો. તેથી ભવિષ્યમાં તમે સગતિને પામશો. કરોડ રૂપિયાની કિંમતવાળા રત્નથી જો ઉકરડો ખરીદ્યો તો તે રત્ન નકામું ગયું. એમ મોક્ષની સાધના માટેના આ ભવમાં જો પાપો જ કર્યા તો આ મનુષ્યભવ નકામો ગયો. ખાલી નકામો નથી ગયો, પણ તેનાથી પોતાની હાનિ પણ થઈ. હજી પણ બચેલા આયુષ્યમાં તમે મનને ધર્મમાં સ્થિર કરો. પાપવ્યાપારોમાં ખૂબ રત એવા પોતાના મનને તમે ત્યાંથી પાછું વાળો.