________________
પદર્શન
* (૨) રસ–જળનો સ્વાભાવિક રસ મધુર છે. લીંબુના રસમાં ખટાશ અને કારેલાના રસમાં કડવાશ હોય છે પણ તે તો પાર્થિવ કણોના સંયોગને કારણે છે. શુદ્ધ પાણી ખારું કે કડવું હોતું નથી. શુદ્ધ પાણી મધુર જ હોય છે. જે કઈ કહે કે શુદ્ધ પાણીમાં મધુર રસ અનુભવાત નથી તે વૈશેષિક કહે છે કે તે વાત બરાબર નથી. હરડે ખાધા પછી શુદ્ધ જળ પીવાથી મધુર રસને અનુભવ થાય છે. આ મધુર રસ હરડેને નથી પણ જળને છે. હરડે તો જળના મધુર રસની અભિવ્યંજક છે.૩૭
(૩) સ્પર્શ—–જળને સ્વાભાવિક સ્પર્શ શીત જ છે. જ્યાં સુધી તેને સૂર્યકિરણો સાથે કે અગ્નિ સાથે સંયોગ થતું નથી ત્યાં સુધી તે શીતળ જ હોય છે. તેમની સાથેના સંગને કારણે જ તે ગરમ થાય છે. તે સંગ દૂર થતાં જ તે પોતાની સ્વાભાવિક શીતળતા પ્રાપ્ત કરે છે. આમ જળમાં જણાતી ઉષ્ણતા પાધિક છે.૮
(૪) દ્રવત્વવત્વ અર્થાત પ્રવાહિતા જળનો સ્વાભાવિક (સાંસિદ્ધિક) ગુણ છે. પૃથ્વી કઠણુ યા ઘન હોય છે પણ જળ તરલ હોય છે.
અહીં એક પ્રશ્ન ઊઠે છે–બરફ અને કર તો કઠણ યા ઘન હોય છે તે પછી એમને જળ કેમ કરીને ગણી શકાય અને જો એમને જળ માનવામાં આવે તે એમનામાં દ્રવત્વ ક્યાં છે ?
આ શંકાનું સમાધાન મુક્તાવલીકાર નીચે પ્રમાણે કરે છે. બરફ અને કરીને પાર્થિવ ન ગણી શકાય, કારણ કે જરાક ગરમી મળતાં જ એમનું દ્રવ યા જલત્વ પ્રગટ થાય છે. આ દ્રવત્વ. કેઈ અદષ્ટ શક્તિથી અવરુદ્ધ થઈ જવાને કારણે આપણને કાઠિન્યની પ્રતીતિ થતી હતી. એટલે કાઠિન્યપ્રતીતિ એ ખરેખર બ્રાતિ છે.૪૦
બીજી એક શંકા જાગે છે. કેટલીક પાર્થિવ વસ્તુઓ પણ એવી હોય છે જે પીગળીને વહેવા લાગે છે; દાખલા તરીકે ઘી, મીણ વગેરે. એમનામાં જળવા ન હોવા છતાં દ્રવત્વ તો જણાય છે. તે પછી દ્રવત્વ કેવળ જળનો જ ગુણ છે એમ કેવી રીતે માની શકાય ?
આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે છે. ઘી, મીણ, લાખ વગેરેમાં સ્વંભાવિક દ્રવત્વ હોતું નથી પરંતુ અગ્નિનો સંગ પામી તે બધાં પીગળે છે. આમ એમનું દ્રવત્વ સ્વાભાવિક નથી પરંતુ અમુક કારણથી ઉદ્દભવેલું છે. આવી જ રીતે