________________
૪૫૬ .
પહદર્શન
ભેદ છે. ચાવકે એક જ પ્રમાણ માને છે. તે છે પ્રત્યક્ષ. બૌદ્ધો અને વૈશેષિકે બે પ્રમાણે જ માને છે–પ્રત્યક્ષ અને અનુમાન. સાંખ્યો આ બેમાં ત્રીજું પ્રમાણ શબ્દનો ઉમેરો કરે છે. નૈયાયિકે આ ત્રણ ઉપરાંત ચોથું ઉપમાન પ્રમાણે સ્વીકારે છે. પ્રભાકર મીમાંસકો આ ચાર સાથે પાંચમું અથપત્તિપ્રમાણ પણ સ્વીકારે છે. ભાઠું મીમાંસકે અને વેદાન્તીઓ આ પાંચ ઉપરાંત છઠુ અભાવપ્રમાણુ યા અનુપલબ્ધિપ્રમાણ માને છે. ૧૭
પ્રમાણેની સંખ્યાનું નિયામક
અમુક દર્શન પ્રમાણોની અમુક જ સંખ્યા માને છે. તે માટે તે તે દર્શન શું કારણ આપે છે ? બૌદ્ધો કહે છે કે પ્રમાણે બે જ છે કારણ કે પ્રમેયો બે જ છે ૮ –સ્વલક્ષણ અને સામાન્યલક્ષણ. સ્વલક્ષણગ્રાહી પ્રત્યક્ષ છે, જ્યારે સામાન્યલક્ષણગ્રાહી અનુમાન છે. મીમાંસકે પ્રમેયભેદ ઉપરાંત સામગ્રીભેદને પણ પ્રમાણસંખ્યાને નિયામક ગણે છે.૧૯ તૈયાયિક પ્રમેયભેદ અને સામગ્રીભેદ ઉપાંત ફળભેદને પણ પ્રમાણભેદનું કારણ માને છે.૨૦ *
પ્રમાણુનર્ભાવ જેઓ બીજાઓએ વીરેલાં પ્રમાણ કરતાં ઓછાં પ્રમાણો સ્વીકારે છે તેઓને બે પ્રશ્નોને જવાબ આપવો પડે છે–(૧) શું તેઓએ ન સ્વીકારેલાં પ્રમાણો પ્રમાણો જ નથી ? (૨) જે તેઓ પ્રમાણ હોવા છતાં સ્વતંત્ર પ્રમાણ ન હોય તે તેમનો અન્તર્ભાવ તેઓ સ્વીકૃત ક્યા પ્રમાણમાં કરે છે? ચાર્વાકને મતે પ્રત્યક્ષ એક જ પ્રમાણ છે, બીજાઓએ સ્વીકારેલાં અન્ય પ્રમાણે પ્રમાણે જ નથી. બૌદ્ધો શબ્દ પ્રમાણને સમાવેશ અનુમાન પ્રમાણમાં કરે છે. ઉપમાનને તેઓ સ્મૃતિ રૂપ જ માને છે અને સ્મૃતિ તેમને મતે અપ્રમાણ હોઈ ઉપમાનને તેઓ પ્રમાણ જ માનતા નથી. ઉપરાંત, અર્થપત્તિને૨ અને અનુપલબ્ધિનેરક પણ તેઓ અનુમાનરૂપ જ ગણે છે. વૈશેષિકે ઉપમાન, અર્થપત્તિ, શબ્દ અને અનુપલબ્ધિને અનુમાનના જ ભેદ માને છે.૨૪ સાંખે ઉપમાનને યથાસંભવ પ્રત્યક્ષ કે શબ્દ પ્રમાણમાં અન્તર્ભાવ કરે છે, તેમ જ અર્થોપત્તિનો અનુમાનમાં અન્તર્ભાવ કરે છે. અનુપલબ્ધિને તેઓ પ્રત્યક્ષપ્રમાણુરૂપ જ માને છે. ૨૫ નૌયાયિકોને મતે અર્થોપત્તિને સમાવેશ અનુમાનમાં થાય છે અને અનુપલબ્ધિને સમાવેશ પ્રત્યક્ષમાં થાય છે.૨૭ પ્રાભાકરો પણ અનુપલબ્ધિને પ્રત્યક્ષનો જ ભેદ ગણે છે.૨૮