________________
ન્યાયદર્શન
૪૫
વિરોધીઓએ યાયિકના આ સિદ્ધાન્તનું ખંડન કર્યું છે. તેમની મુખ્ય દલીલે આ છે–(૧) ચશ્ન તે શરીરનો એક અવયવ છે, તે શરીરની બહાર જઈ કેવી રીતે કાર્ય કરે ? (૨) જે ચક્ષુરિન્દ્રિય વિષયપ્રદેશ જતી હોય તે નિકટની વસ્તુ પહેલાં અને દૂરની વસ્તુ પછી દેખાવી જોઈએ. પરંતુ આપણને તે આંખ ખોલતાં જ સમીપવતી વૃક્ષ અને દરવતી ચંદ્ર એક સાથે દેખાય છે. (૩) ચક્ષુ જે પ્રાણકારી હોય તે તે ભૌતિક હાઈ પિતાના પરિમાણુ જેવડા પરિમાણવાળી વસ્તુને જ ગ્રહણ કરી શકે; તે પહાડ, સાગર જેવી મહત્પરિમાણવાળી વસ્તુઓને ન ગ્રહણ કરી શકે. (૪) કાચ, અબરખ, વગેરેની પેલી બાજુએ રહેલી વસ્તુઓને પણ આંખ દેખી શકે છે. આનો અર્થ એ કે આંખ અને તેના વિષય વચ્ચે સંયોગ માનવો જરૂરી નથી.
- ઉદયનાચાર્યે પિતાની “કિરણાવલીમાં આને ઉત્તર આપ્યો છે. (૧) ચરિદ્રિયને અર્થ ગેલક નથી. ચક્ષુરિન્દ્રિય તે તૈજસ છે, તેમાંથી કિરણ બહાર ફેલાય છે. જે પદાર્થ પર તે કિરણ પડે છે તે પદાર્થ પ્રકાશિત થાય છે, તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. (૨) ચક્ષુરિન્દ્રિયનાં કિરણોની ગતિ અત્યંત તીવ્ર છે, ક્ષણમાત્રમાં તે તે ચંદ્ર સુધી પહોંચી જાય છે. તેથી જ સમીપવતી વૃક્ષ અને દૂરવત ચન્દ્ર એક સાથે દેખાય છે. (૩) ચાક્ષુષ કિરણે સંપૂર્ણ દષ્ટિપથને
વ્યાપી જાય છે. તેથી પહાડ જેવડા પરિમાણવાળી વસ્તુઓનું પણ ચાક્ષુષ પ્રત્યક્ષ - થાય છે. (૪) કાચ, અબરખ વગેરે પારદર્શક હોઈ તૈજસ કિરણો પ્રતિઘાત પામતા નથી.૨
- ન્યાયમતે વસ્તુનું પ્રત્યક્ષ સાક્ષાત થાય છે, વસ્તુ જ્ઞાનમાં ઊઠેલા તેના આકારથી અનુમિત થતી નથી. નૈયાયિકે એ વાત ઉપર ભાર મૂકે છે કે આપણું જ્ઞાન નિરાકાર છે અને જ્ઞાનમાં જે આકાર ભાસે છે તે જ્ઞાનનો નથી પણ વસ્તુ છે. અર્થાત જ્યાં સુધી જ્ઞાનને પ્રશ્ન છે ત્યાં સુધી “ઘટજ્ઞાન અને પટજ્ઞાનમાં કેઈ અન્તર નથી. જે કંઈ અન્તર છે તે “ઘટ” અને “પટ” વસ્તુએમાં જ છે, જે આપણા જ્ઞાનમાં સાક્ષાત ભાસે છે. પ્રત્યક્ષમાં વસ્તુના સાક્ષાત જ્ઞાનની દષ્ટિએ જ ન્યાય-વૈશેષિકે માને છે કે વસ્તુઓની આકૃતિઓ આપણા આત્મા સુધી પહોંચતી નથી પરંતુ આપણી ઈન્દ્રિય વસ્તુદેશે પહોંચી એ વસ્તુને ત્યાં જ પ્રકાશિત કરે છે. (ન્દ્રિયાળાં વસ્તુ પ્રખ્ય પ્રરિરિનિયમ:). જ્યારે હું ઘડાને દેખું છું ત્યારે મારી ચક્ષુરિન્દ્રિયનાં કિરણો ઘટપ્રદેશે પહોંચી એને પ્ર. ૩૦