Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 542
________________ પદન ઉપનય—વહિવ્યાપ્યધૂમવાનય પવતઃ (વદ્ધિ સાથે નિયત સ ંબંધ ધરાવનાર ધૂમવાળા આ પવ ત છે.) નિગમનતસ્માત્ ચંદુમાનયં વતઃ (તેથી પવત અગ્નિયુક્ત છે.) ૬૭ ૫૨૪ પક્ષમાં લિંગીની ઘેાષા એ જ પ્રતિજ્ઞા છે. એનું પ્રયાજન એ છે કે શ્રોતા (=પર) પહેલેથી જ સમજી લે કે વકતા અનુમાન દ્વારા એને શું પુરવાર કરી આપવા માગે છે. પ્રતિજ્ઞા પછી હેતુ આપવામાં આવે છે. હેતુ સામાન્ય રીતે પાંચમી વિભક્તિમાં હેાય છે. હેતુ અને લિંગમાં થાડાક ભેદ છે. લિંગ તે પદા' છે જેનાથી અનુમાન થાય છે. હેતુ તે લિ ંગનુ પ્રતિપ્રાદક વાક્ય છે, હેતુ વિધ્યાત્મક યા નિષેધાત્મક હોય છે. હેતુને જાણ્યા પછી શ્રોતાના મનમાં પ્રશ્ન ઊઠે છે કે એ હેતુથી પ્રસ્તુત પ્રતિજ્ઞા કેવી રીતે સિદ્ધ થશે? એ પ્રશ્નનું નિરા-કરણ વક્તા ઉદાહરણુવાકય દ્વારા કરે છે. ઉદાહરણ સાંભળી શ્રાતાના મનમાં ` પ્રશ્ન ઊઠે છે કે ઉદાહરણમાં જે વાત કહેવામાં આવી છે તે વર્તમાન પ્રતિજ્ઞા. અને હેતુને કેવી રીતે લાગુ પડે છે ? આ પ્રશ્નનું સમાધાન વક્તા ચોથા ઉપનયવાકયથી કરે છે. સાધ્ય હવે સિદ્ધ થઈ ગયું છે અને હવે શ્રેતાને કંઈ સદેહ ન રહેવા જોઈએ એ દર્શાવવા વક્તા પ્રતિજ્ઞાનું પુનઃ ઉચ્ચારણ કરે છે. આ જ નિગમન છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ અને ઉપનય ચાય મળી શ્રેાતાને એક નિષ્ક પર પહેાંચાડે છે.૬૮ તે છે નિગમન. પ્રાચીન નૈયાયિકા આ પાંચ અવયવ ઉપરાંત બીજા પાંચ અવયવ પણ માનતા હતા. અર્થાત્ તેએ કુલ દસ અવયવેા સ્વીકારતા હતા. તે દસને ક્રમ આ પ્રમાણે હતેા–જિજ્ઞાસા, સ`શય, શયપ્રાપ્તિ, પ્રયેાજન, સસ્પેંશયવ્યુદાસ, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણુ, ઉપનય અને નિગમના પ્રથમ પાંચ તક શાસ્ત્રની દૃષ્ટિએ મહત્ત્વના ન હોઈ વાત્સ્યાયન વગેરેએ તેમના સ્વીકાર કર્યાં નથી.૧૯ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ અને ઉપનયનું ક્રમશ: શબ્દ, અનુમાન, પ્રત્યક્ષ અને ઉપમાન સાથે સમીકરણ કરવાની તૈયાયિકાની ઇચ્છાએ તેમને પાંચ જ અવયવા સ્વીકારવા પ્રેર્યાં છે એવું એક આધુનિક વિદ્વાનનું મન્તવ્ય છે.૭૧ મીમાંસકેા પ્રતિજ્ઞા, હેતુ અને ઉદાહરણ એ ત્રણ કે ઉદાહરણ, ઉપનય અને નિગમન એ ત્રણ અવયવા જ સ્વીકારે છે. બૌદ્દો હેતુ અને ઉદાહરણ એ જ અવયવે સ્વીકારે છે; બૌદ્ધ દા`નિક ધમકીતિ તે કહે છે કે શ્રેાતા (=પર) વિદ્વાન હાય તેા કેવળ હેતુવચન જ પૂરતુ છે.૭૨ એ જાણવુ જોઈ એ કે તૈયાયિકાએ ઉદાહરણ સહિત વ્યાપ્તિવચનને ઉદા હરણ' નામ કેમ આપ્યું છે ? વસ્તુતઃ ત્રીજા અવયવમાં વ્યાપ્તિ જેટલુ મહત્ત્વ

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628