________________
ન્યાયદર્શન
પ૩૭
ગણી પૂર્વશ્રત અતિદેશવાક્યના સ્મરણને તેને વ્યાપાર ગણે છે. પ્રાચીન મતમાં વ્યાયારૂપ ચરમ કારણ જ મુખ્ય કારણ હોઈ તે જ મુખ્ય ઉપમાન પ્રમાણ ગણાય અને તજજન્ય પ્રમા ઉપમિતિ ગણાય.
સદશ્ય એટલે શું ? નૈયાયિકે સદશ્યને દ્રવ્ય આદિ સાત પદાર્થોથી અતિરિક્ત સ્વતંત્ર પદાર્થ તરીકે સ્વીકારતા નથી. તેમને મતે બે વસ્તુઓ ભિન્ન હોવા છતાં તેમનામાં ઘણું ધર્મો સમાન હોય તે તે બે વસ્તુઓમાં સદશ્ય છે એમ કહેવાય. છગે અને ગવય બંને ભિન્ન છે. અર્થાત બંને એક જાતિના નથી. એકની ગોત્વ જાતિ છે અને બીજાની ગવયત્વ જાતિ છે. તેમ છતાં ગવયમાં એવા ઘણું ધર્મો છે જે ગામાં છે. એટલે ગવયને ગેસદશ કહેવાય. ગવયના ઘણા અવયવો ગોના અવયો જેવા જ છે. તેથી ગવયને ગેસદશ કહેવાય. કેટલાક નવીન -ૌયાયિકેએ તે સદશ્યને પૃથફ પદાર્થ તરીકે પણ સ્વીકાર્યું છે. ૮
ત્રિવિધ ઉપમિતિ ઉપમિતિના ત્રણ પ્રકારે છે–સાધપમિતિ, વૈધર્મોપમિતિ અને ધર્મમાત્રપમિતિ. ગવયે ગેસદશ છે. એવા સાધમ્ય પ્રતિપાદક અતિદેશવાક્યના સ્મરણ તેમ જ ગવાયગત ગોસાઇશ્યદર્શનથી જે ઉપમિતિ ઉત્પન્ન થાય તેને સાધમ્મપમિતિ કહેવાય. ઊંટ અશ્વ જેવો સમાન પૃષ્ઠવાળા અને હસ્વ ગ્રીવાવાળ નથી હોત' એવા વૈધમ્મપ્રતિપાદક અતિદેશવાક્યને સ્મરણ તેમ જ ઊંટગત અશ્વધર્યાદર્શનથી જે ઉપમિતિ જન્મે તેને ધર્મોપમિતિ કહેવાય. ગેંડાને નાક પાસે ચમકતું એક શિંગડું હોય છે' આવા ધર્મમાત્રપ્રતિપાદક અતિદેશવાક્યના સ્મરણ તેમ જ પશુગત તે અસાધારણ ધર્મને પ્રત્યક્ષથી જે ઉપમિતિ જન્મે તેને ધર્મપાત્રોપમિતિ કહેવાય.
* ઉપમાન પ્રમાણની સ્થાપના ઉપમાન પ્રમાણુ ઉપર એવો આક્ષેપ થાય છે કે ઉપમાન પ્રમાણ અસંભવ છે. કેવી રીતે? “ગવય ગેસદશ હોય છે એ પૂર્વશ્રેત અતિદેશવાજ્યાર્થિની
સ્મૃતિની સહાયથી ગવયગત ગેસદશ્યદર્શન ઉપમિતિરૂપ “આ ગવય છે (=અવયપદવા છે, એવા સંજ્ઞાસત્તિસંબંધજ્ઞાનને ઉત્પન્ન કરે છે એવી નૌયાયિકેની માન્યતા બરાબર નથી કારણ કે સંભવિત ત્રણેય વિકલ્પ (alternatives) ઘટતા નથી. ગવયનું ગ સાથે અત્યન્તસાદશ્ય વિવિક્ષિત છે કે