________________
ષદર્શન પાર્થિવ હેવા છતાં પાર્થિવ વિષયના રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ એ ચાર ગુણામાંથી કેવળ ગબ્ધને જ તે ગ્રહણ કરે છે. ઇન્દ્રિય પોતે અતીન્દ્રિય છે તેથી તગત ગબ્ધ આદિ ગુણો પણ અતીન્દ્રિય છે. તૈયાયિકેને મતે ઈન્દ્રિયગત ગધ આદિ ગુણો અનુભૂત (unmanifest) છે, તેથી જ તેમનું પ્રત્યક્ષજ્ઞાન થતું નથી.
ઈન્ડિયનું પ્રાકારિત્વ
ઇન્દ્રિય પોતાના વિષય સાથે સંયુક્ત થયા વિના તેનું ગ્રહણ કરી શકતી નથી. આવો તૈયાયિકેને મત છે. આને ઈન્દ્રિયના પ્રાધ્યકારિત્વને સિદ્ધાન્તા કહેવામાં આવે છે. ચક્ષુ સિવાયની ઇન્દ્રિયની બાબતમાં તે આપણે સમજી શકીએ કે તે ઇન્દ્રિયે પોતાના વિષય સાથે સંયુક્ત થયા પછી જ તેમને ગ્રહણ કરે છે. શબ્દોને સન્તાન કાન સુધી પહોંચે છે ત્યારે આપણને શાબ્દ પ્રત્યક્ષ થાય છે. સુરભિ દ્રવ્ય યા પરિમલના સૂક્ષ્મ કણો ધ્રાણેન્દ્રિય સુધી પહોંચે છે ત્યારે ધ્રાણજ પ્રત્યક્ષ થાય છે. ગરમ પાણી શરીર પર પડતાં વાચિક પ્રત્યક્ષ થાય છે. સાકરને જીભ સાથે સંયોગ થાય છે ત્યારે જ રાસન પ્રત્યક્ષ થાય છે. પરંતુ નીલ કમળ, ટમટમતા તારા, પ્રકાશમાન ચંદ્ર વગેરેનું ચાક્ષુષ પ્રત્યક્ષ તે તે તે વિષયનો ચક્ષુરિન્દ્રિય સાથે સંયોગ થયા વિના થાય છે એવું આપણને જણાય છે. એટલે બધી જ ઇન્દ્રિયોને પ્રાયકારી માનનાર નિયાયિકે એ ચરિન્દ્રિય કેવી રીતે પ્રાપ્તકારી છે તે સમજાવવું પડશે.
ચક્ષુરિન્દ્રિય પ્રદીપની જેમ તૈજસ પદાર્થ છે. પ્રદીપને જેમ કિરણો છે તેમ ચક્ષુરિન્દ્રિયને પણ કિરણો છે. પ્રદીપનાં કિરણો જેવી રીતે કેઈ વ્યવધાયક (દા. ત. ભીંત) દ્રવ્યથી પ્રતિઘાત પામે છે તેવી જ રીતે ચક્ષુરિન્દ્રિયનાં કિરણો પણ વ્યવધાયક દ્રવ્યથી પ્રતિઘાત પામે છે. તેથી જે વિષયો વ્યવહિત હોય છે તેમનું ચાક્ષુષ પ્રત્યક્ષ જન્મતું નથી.૧૦ કાચ, અબરખ જેવાં પારદર્શક દ્રવ્યોથી તૈજસ દ્રવ્યનો પ્રતિઘાત થતો ન હોવા છતાં ભીંત જેવાં દ્રવ્યોથી તેનો પ્રતિઘાત થાય છે. આમ પુરવાર થાય છે કે ચન્દ્રિય તૈજસ છે અને તેથી તેને કિરણો છે. ચક્ષુરિન્દ્રિયને કિરણ છે એ હકીકતને નિશાચર બિલાડી, વાઘ વગેરે પ્રાણીએની ઝગારા મારતી આંખો પુરવાર કરે છે. ૧ ચક્ષુરિન્દ્રિયનાં કિરણો ક્ષણમાં તે દૂર દૂર પહોંચી જાય છે અને પિતાના વિષયના સંપર્કમાં આવી તેને પ્રકાશિત કરે છે. આમ ચક્ષુરિન્દ્રિય પણ ન્યાયમતે પ્રાપ્તકારી છે.