________________
ન્યાયદર્શન
પ૧પ
બનતો. તેથી અનુમાનની દષ્ટિએ એવા ધૂમનું કંઈ મહત્વ નથી. વ્યાપ્તિજ્ઞાન જે વ્યક્તિને છે--જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે એવું તાન જે વ્યકિત ધરાવે છે–તે વ્યકિતને ધૂમનું––ધૂમદર્શનનું મહત્ત્વ છે. તેને માટે ધૂમ કેવળ ધૂમ જ નથી પરંતુ પદાર્થાન્તર(=અગ્નિ)નો પરિચાયક (=સૂચક) પણ છે; અર્થાત તેનામાં “લિંગ– આવી જાય છે. જેને વ્યાપ્તિજ્ઞાન નથી કે
જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે તે વ્યકિત તે પહાડ ઉપર ધૂમાડે દેખે છે; એના ઉપરથી એ કેઈ નિષ્કર્ષ કાઢી શકતું નથી. પરંતુ વ્યાપ્તિજ્ઞાન ધરાવનાર વ્યક્તિ પહાડ ઉપર જ્યારે ધૂમ દેખે છે (પક્ષધર્મતાજ્ઞાન) ત્યારે તેને વ્યાપ્તિસ્મરણ થાય છે અને પરિણામે પહાડ પર દેખાઈ રહેલે ઘૂમ અગ્નિસૂચક છે, અનિવ્યાપ્ય છે એવું જ્ઞાન તેને થાય છે. આ જ્ઞાનને લિંગપરામર્શ કહે છે.
કેટલાક આને તૃતીય લિંગપરામર્શ કહે છે. તેમને મને ‘પહાડ ઉપર ધૂમ (કલિંગ) છે આ પ્રથમ લિંગપરામર્શ છે, “ધૂમ અગ્નિવ્યાપ્ય છે. આ બીજો લિંગપરામર્શ છે અને ‘પહાડ અગ્નિવ્યાપ્ય ધૂમવાળો છે. આ ત્રીજે લિંગપરામર્શ છે. અહીં પ્રથમ પરામર્શમાં લિંગને સંબંધ પક્ષ સાથે છે એટલું દેખવામાં આવે છે, દ્વિતીય પરામર્શમાં લિંગને સંબંધ સાધ્ય સાથે છે એટલું દેખવામાં આવે છે અને ત્રીજા પરામર્શમાં સાધ્યસમ્બદ્ધ લિંગને સંબંધ પક્ષની સાથે છે એટલું દેખવામાં આવ્ર છે.૩૫ આ અતિમ પરામર્શથી અનુમિતિરૂપ જ્ઞાન જન્મે છે કે પર્વત ઉપર અગ્નિ છે.” પ્રસ્તુત ચર્ચામાં “લિંગપરામથી આ અતિમ લિંગપરામર્શ સમજવાનું છે.
પક્ષધર્મતાજ્ઞાન અને વ્યાપ્તિજ્ઞાન બેય સમ્મિલિત થવાથી જે વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને પરામર્શ યા લિંગપરામર્શ કહેવામાં આવે છે. તેથી તેની વ્યાખ્યા તર્કસંગ્રહકારે આવી કરી છે--વ્યાપ્તિવિશિષ્ટ પક્ષધર્મતાનું જ્ઞાન પરામર્શ છે. ?
પક્ષધર્માતાજ્ઞાનથી તે આપણે એટલું જ જાણું શકીએ છીએ કે માં ત છે. વ્યાપ્તિત્તાનથી આપણે એટલું જ જાણીએ છીએ કે તું ને વ્યાપ્ય છે. હવે આ બે જ્ઞાને સાથે મળી ત્રીજું જ્ઞાન આપે છે કે માં નો વ્યાપ્ય રહ્યું છે. - પક્ષધર્મતાજ્ઞાન દ્વારા કેવળ બેને અર્થાત પક્ષ અને લિંગને સંબંધ વાત થાય છે. વ્યાપ્તિજ્ઞાન દ્વારા પણ કેવળ બેને અર્થાત લિંગ અને સાયને