________________
વૈશેષિક દર્શન
ઊઠે છે. જે અસંખ્ય સામાન્યમાંના પ્રત્યેકને વ્યાપક માની શકાય તે એક અને પાંચેય પદાર્થોની અનંત વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવનાર સમવાયને વ્યાપક માનવા માટે તે વધુ મજબૂત આધાર છે. જે સમવાયને વ્યાપક માનવામાં આવે તે બે અયુતસિહો વચ્ચે સંબંધ કહ્યું અશક્ય છે એવો વિરોધીને વધે વધુ સબળ બને.
(૮) સમવાય-સંગભેદનિદર્શન (1) સંગ બે દ્રવ્યો વચ્ચે જ હોય છે, જેમ કે પુરુષ અને દંડ. સમવાયસંબંધ (a) બે દ્રવ્ય વચ્ચે, જેમ કે કારણ અને તેમાં રહેતું કાર્ય (b) દ્રવ્ય અને તેમાં રહેલાં અદ્રવ્ય ગુણ, કર્મ, સામાન્ય કે વિશેષ વચ્ચે અને (c) બે અદ્રવ્ય વચ્ચે- જેમ કે ગુણ કે કર્મ અને તેમાં રહેતું સામાન્ય – હોય છે. (૨) સંગ બે જુદાં પાડી શકાય એવાં (યુતસિદ્ધ) દ્રવ્ય વચ્ચે હોય છે, જ્યારે સમવાય જે બે પદાર્થો એક બીજાથી કદીય જુદા પાડી શકાતા નથી (અયુતસિદ્ધો) તેમની વચ્ચે હોય છે. સંગસંબંધ ધરાવતા દંડ અને પુરુષને જુદા પાડી શકાય પરંતુ સમવાયસંબંધ ધરાવતાં કારણ (તંતુઓ) અને કાર્ય (=પટ)માંથી કાર્યને કારણથી અલગ કરી શકાતું નથી. પટ તંતુઓથી સ્વતંત્ર રહી શકતો નથી. (૩) સમવયસંબંધ ધરાવતા બે સંબંધીઓમાંથી એક આધાર હોય છે અને બીજે આધેય હોય છે. જે બીજાના વિના નથી રહી શકતો તે હંમેશા આધેય છે અને બીજે જે સ્વતંત્ર રીતે રહી શકે છે તે આધાર છે. ઉદાહરણર્થ કાર્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ આધેય છે અને જેમાં એ બધાં રહે છે તે દ્રવ્ય આધાર છે. ગુણમાં અને કર્મમાં રહેતાં સામાન્યની બાબતમાં સામાન્ય આધેય છે અને ગુણ-કર્મ આધાર છે. પરંતુ સંગની બાબતમાં તે સંયોગસંબંધ ધરાવતાં બે દ્રવ્ય હમેશ આધારાધેય હતાં નથી. “કુંડામાં ફળના ઉદાહરણમાં સંયોગી દ્રવ્યમાં ધારાધેયભાવ છે પરંતુ એ સંયુક્ત લાકડીઓના ઉદાહરણમાં સંયેગી દ્રવ્યમાં આધાશધેયભાવ નથી.૨૭ (૪) સમવાય પોતાના બે સંબંધીઓમાંથી એકમાં જ રહે છે, તે બંને સંબંધીએમાં રહેતો નથી. બે સંબંધીઓમાં જે સંબંધી બીજા સંબંધીનો આધાર છે તે સંબંધમાં જ તે રહે છે. તેથી તેને જ સમવાયી કહેવામાં આવે છે. એથી ઊલટું સંગ પિતાના બંનેય સંબંધીઓમાં રહે છે. તેથી સંયોગસંબંધ ધરાવતા બંનેય સંબંધીઓને સંગી કહેવામાં આવે છે. (૫) સમવાયને સમવાપીમાં રહેવા અન્ય સંબંધની જરૂર નથી. તે પિતાના સ્વભાવથી જ–સ્વત: ૫. ૨૭