________________
વૈશેષિકદર્શન
૪૨૫
પ્રતિયોગિતા છે, અને જ્યાં ઘટત્વ નથી તે બધી વ્યક્તિઓમાં અર્થાત ઘટથી ભિન્ન બધી વસ્તુઓમાં તે પ્રતિયોગિતા નથી. તેથી ઘટવ જ ઘટાભાવની પ્રતિયોગિતાને નિયામક (અવચ્છેદક) ધર્મ છે. બધા ઘટોમાં દ્રવ્યત્વ ધર્મ પણ છે પરંતુ દ્રવ્યત્વ ઘટાભાવની પ્રતિયોગિતાને નિયામક ધર્મ નથી કારણ કે દ્રવ્યત્વ ઘટ ઉપરાંત પટ વગેરેમાં પણ હોય છે.
ઉપર જે કહ્યું છે તેને બીજા શબ્દોમાં બીજી રીતે કહેવું જરૂરી છે, જેથી વાત બરાબર સમજાઈ જાય. જગતમાં જેટલા પ્રકારના અભાવો છે તેમનું પરસ્પર અન્તર કેવળ એ વસ્તુના સ્વરૂપ દ્વારા થાય છે જેને તે અભાવ કહેવાય છે. ઉદાહરણાર્થ “ઘટાભાવ” અને “પટાભાવ વચ્ચે અન્તર ઘટ અને પટને કારણે છે. ઘટાભાવ ઘટનો અભાવ છે, અર્થાત ઘટ ઘટાભાવને વિરોધી છે, પ્રતિયોગી છે. એટલે ઘટાભાવને ઘટપ્રતિયોગિક અભાવ (="ઘટ છે પ્રતિ યોગી જેનો' એવો અભાવ), કહેવામાં આવે છે. જ્યાં અભાવ રહે છે અર્થાત જે અભાવનો આધાર હોય છે તેને અભાવને અનુયાગી કહેવામાં આવે છે. ઉદાહરણાર્થ, “ભૂતલમાં ઘટાભાવ –અહીં ભૂતલ અભાવને અનુગી છે. અનુયોગીનો અર્થ છે “અનુકૂલ” અથવા અહીં એનો અર્થ છે આધાર કારણ કે ભૂતલમાં અભાવ રહે છે. આમ ભૂતલ અભાવને અનુયોગી (આધાર) અથવા અનુકૂલ” કહેવાય. “ભૂતલમાં ઘટાભાવીને આપણે તૈયાયિકેના શબ્દોમાં “ઘટપ્રતિયોગિક, ભૂતલાનુયોગિક અભાવ કહી શકીએ. જ્યારે “ભૂતલમાં ઘટાભાવ” એમ કહેવામાં આવે છે ત્યારે એનો અર્થ એ થાય છે કે “ભૂતલમાં ઘાટનો સંગ નથી,' અર્થાત “સંયોગસમ્બન્ધથી પ્રતિયોગી (=વટ)ને ભૂતલમાં રહેવાને અભાવ છે. અહીં ભૂતલમાં પ્રતિયેગી ઘટના રહેવાને (=વૃત્તિનો) નિયામક સંબંધ સંગ છે” અર્થાત ઘટનું પ્રતિયોગી હોવું (=પ્રતિયોગિતા) સંયોગસંબંધથી વિશિષ્ટ (=અવચ્છિન્ન) છે. ન્યાયના શબ્દોમાં કહીએ તે આમ કહેવાય–ઘટની પ્રતિયોગિતા સંગસમ્બન્ધાવચ્છિન્ન છે અથવા “ઘટની પ્રતિયોગિતાને અવચ્છેદક (=નિયામક) સંયોગસંબંધ છે. અભાવના વિષયમાં પ્રતિયોગિતાના અવચ્છેદક સંબંધને ધ્યાનમાં રાખવો આવશ્યક છે. પ્રાગભાવનું ઉદાહરણ લો – (પ્રાગભાવ=કાર્યને ઉત્પત્તિ પહેલાં અભાવ). “તખ્તઓમાં (=કારણમાં) પટને (કાર્યને) અભાવ રહે છે. અહીં પ્રતિયોગીને (કપટને) રહેવાનો સંબંધ સમવાય છે, અર્થાત્ પ્રતિયોગી પટન તંતુઓમાં સમવાયસંબંધથી રહેવાને અભાવ પ્રાગભાવ કહેવાય છે. અહીં પ્રતિયોગિતા સમવાયસંબંધથી અવચ્છિન્ન છે. એમ બની શકે કે તંતુઓ ઉપર કઈ પટ લાવીને