________________
વૈશેષિકદર્શન
૪૧૩
સમવાયી છે જ્યારે આધેય (અર્થાત્ અવયવી કે ગુણ) સમવેત છે. આનો અર્થ એ છે કે સમવાય પિતાના બંને સંબંધીમાં રહેતું નથી પરંતુ એ બેમાંથી જે આધાર હોય છે તેમાં તે આધેય સાથે રહે છે. સંગની બાબતમાં તેના બે સંબંધીઓમાં આ કેઈ ભેદ નથી. જેમની વચ્ચે સંગ હોય છે તે બંને સંબંધીમાં સંગ રહે છે અને તે બંનેને સંગી કહેવામાં આવે છે કે બંનેને સંયુક્ત કહેવામાં આવે છે). પ્રશસ્તપાદે અનવધાનથી કહ્યું છે કે દ્રવ્ય વગેરે પાંચેય સમવાયી છે. પરંતુ શ્રીધરે ભુલ સુધારી અને કહ્યું કે અહીં સમવાયીને અર્થ સમજવાનો છે “સમવાય સંબંધથી રહેનાર” (=સમત) અને નહિ કે સમવાયને આશ્રય” (=સમવાયી).
સમવાયને બે સંબંધીઓમાંથી જે આધાર હોય તેમાં જ રહેતે માન જોઈએ, અવયવન સમવાય અવયવમાં રહે તે માનવો જોઈએ અને ગુણને સમવાય દ્રવ્યમાં રહેતા માનવો જોઈએ. આને કારણે જ અવયવ અને દ્રવ્યને સમવાયી ગણવામાં આવે છે. પરંતુ અહીં એક પ્રશ્ન ખડો થાય છે. સમવાય પોતે ક્યા સંબંધથી સમવાયીમાં રહે છે ? જે કહે કે અન્ય સમવાયથી કે અન્ય કેઈ સંબંધથી તે તે અનવસ્થા થશે. તેથી ન્યાય-વૈશેષિક માને છે કે સમવાયને સમવાયીમાં રહેવા માટે અન્ય કેઈ સંબંધ જરૂરી નથી. તેથી જ પ્રશસ્તપાદ સમવાયને સ્વતન્ત્ર ગણે છે. શ્રીધર પ્રશસ્તપાદના વિધાનને સમજાવતાં કહે છે કે સમવાય સ્વતન્ત્ર અને સંગની જેમ પિતાના આશ્રયમાં રહેવા અન્ય સંબંધની અપેક્ષા રાખતા નથી.૧૧
સમવાય સ્વતંત્ર છે. એની વિશિષ્ટ વ્યાખ્યા ઉદ્યોતક આપી છે. સમવાયને સ્વતંત્ર કેમ માનો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોતકર નીચે પ્રમાણે જણાવે છે. સમવાય સ્વતંત્ર છે કારણ કે તેને બીજાના આશ્રિત થવા માટે બીજે કઈ સમવાયસંબંધ નથી. જે કઈ વસ્તુ જ્યાં રહે છે ત્યાં સમવાયસંબંધથી જ રહે છે. તેથી સમવાય ક્યાંય રહેતો નથી, તે સ્વતંત્ર છે, તે કેઈને આશ્રિત નથી.૧૩ સમવાય કેઈને આશ્રિત નથી એ દર્શાવવા તે એક વધુ તક આપે છે. સમવાય ક્યાંય રહેતું નથી, આશ્રિત નથી કારણ કે તે “પંચપદાર્થવૃત્તિ છે. જે કઈ પંચપદાર્થવૃત્તિ છે તે કેઈનું આશ્રિત નથી, ઉદાહરણાર્થ અણ.૧૪ પરંતુ અહીં એ નોંધવું જોઈએ કે સમવાય અને અણુને સંદર્ભમાં પંચપદાર્થવૃત્તિને અર્થ જુદો જુદો છે. સમવાયને પંચપદાર્થવૃત્તિ' એ અર્થમાં કહેવામાં આવે છે કે તે “પાંચ પદાર્થોને સંબંધ છે, જ્યારે અણુને “પંચપદાર્થવૃત્તિ