________________
વૈશેષિકદર્શન
૩૦૭
ઈન્દ્રિય પિતાનો વિષય પ્રત્યાસન્ન હોય તો જ તેને ગ્રહણ કરી શકે છે. તેથી શબ્દ દૂર રહેલી વ્યક્તિના શ્રોત્ર પાસે પહોંચે છે એમ માનવું જ જોઈએ. આ ત્યારે જ શક્ય બને જે આપણે માનીએ કે સંગજન્ય શબ્દ બીજી ક્ષણે અવ્યવહિત આકાશપ્રદેશમાં શબ્દને ઉત્પન્ન કરી નાશ પામે છે, આ ઉત્પન્ન થયેલ શબ્દ પછીની ક્ષણે પિતાના અવ્યવહિત આકાશપ્રદેશમાં શબ્દ ઉત્પન્ન કરીને નાશ પામે છે, વગેરે. આ પ્રમાણે શબ્દસંતતિ ચાલે છે અને પરિણામે શબ્દ શોત્રપ્રત્યાસન્ન બને છે. શબ્દ શોત્રપ્રયાસન્ન બનવાની બીજી કેઈ શક્યતા નથી. તેથી શબ્દને અનિત્ય માન્યા વિના છૂટકો નથી. આમ સંયોગ અને વિભાગને શબ્દના અભિવ્યંજક ન માનતાં ઉત્પાદક જ માનવાં જોઈએ.”
(૩) સંયોગ જે શબ્દનો અભિવ્યંજક હોય તે સંગ દૂર થતાં શબ્દનું ગ્રહણ ન થવું જોઈએ. પરંતુ સંયોગ નાશ પામ્યા પછીય શબ્દનું ગ્રહણ તે થાય છે. આ દર્શાવે છે કે સંગ અભિવ્યંજક નથી પરંતુ ઉત્પાદક છે. બંજકના અભાવમાં વ્યંગનું ગ્રહણ ન થાય એવો નિયમ છે. સંગના અભાવમાંય શબ્દનું ગ્રહણ થાય છે. તેથી સંયોગને શબ્દના વ્યંજક તરીકે ન સ્વીકારવો જોઈએ, પરંતુ તેને તેના ઉત્પાદક કારણ તરીકે સ્વીકારો જોઈએ.'
(૪) તીવ્ર શબ્દ “મન્દ શબ્દ આવા પ્રયોગો દર્શાવે છે કે શબ્દ અનિત્ય છે. જેની બાબતમાં તીવ્રતા-મંદતા શક્ય હોય તે નિત્ય ન હોઈ શકે ? - આના વિરોધમાં શબ્દનિત્યત્વવાદી જણાવે છે કે શબ્દમાં તીવ્રતામંદતા થતી જ નથી, તીવ્રતા-મંદતા તે શબ્દને ગ્રહણ કરનાર જ્ઞાનમાં થાય છે અને આ જ્ઞાનગત તીવ્રતા-મંદતાનું કારણ છે શબ્દને અભિવ્યક્ત કરનાર વ્યંજકેની તીવ્રતા-મંદતા. પ્રકાશ ઘડાનો ભંજક છે. તેની તીવ્રતા-મંદતાથી ઘડાના જ્ઞાનમાં તીવ્રતા-મંદતા (સ્પષ્ટતા-અસ્પષ્ટતા) આવે છે. પરંતુ ઘડામાં તીવ્રતા-મંદતા થતી નથી.
આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક જણાવે છે કે જે શબ્દમાં નહિ પણ શબ્દના જ્ઞાનમાં તીવ્રતા-મંદતા માનવામાં આવે તે તીવ્ર શબ્દ મંદ શબ્દનો અભિભવ કરે છે તે ઘટનાને કેવી રીતે સમજાવી શકાશે ? ભેરીને તીવ્ર શબ્દ તન્નીના મંદ શબ્દને અભિભવ કરે છે. નિત્યશબ્દવાદીએ અહીં કહેવું જોઈએ કે ભેરીના શબ્દનું તીવ્ર જ્ઞાન તન્નીના શબ્દના મંદ જ્ઞાનનો અભિભવ કરે છે. પરંતુ આ અશક્ય છે. અભિભવ બે સમકાલીન વસ્તુઓ વચ્ચે સંભવે; તેમાંની જે તીવ્ર હેય તે મંદને અભિભવ કરે. એક જ્ઞાતાને ભેરીના શબ્દનું તીત્ર જ્ઞાન