Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
ગંગા અને વેદની ઉત્પત્તિ, યજ્ઞ-યાગનો સમય
૩૫ મહાપુરુષને આજે સનાતનધમીય કરે ભારતવાસીઓ ઇશ્વર તરીકે પૂજે છે. જૈન ગ્રંથકારોએ પણ આ અવતારી મહાપુરુષની નેંધ પોતાના ગ્રંથમાં લઈ તેમનું માન સાચવ્યું છે.
શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ થયા છે. તેવી જ રીતે રામ, લક્ષમણના સમયમાં ગૌતમ નામના મહાન ઋષિ થયા છે કે જેમણે ન્યાયશાસ રચ્યું છે.
શ્રી મુનિસુવ્રતસ્વામીના મોક્ષગમન પછી એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથ થયા. તેમના સમયમાં હરિસેન અને જય નામે દશમા, અગિયારમા ચક્રવતીએ થયા. તેમણે છ ખંડ પૃથ્વીને જીતી ભારતની રાજ્યગાદી ઉપર રાજ્ય કર્યું. નમિનાથના મોક્ષગમન પછી બાવીશમાં શ્રી નેમિનાથ નામે તીર્થંકર થયા, જેમના સમયમાં છેલ્લા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ શ્રી કૃષ્ણ, બળભદ્ર અને જરાસંધ થયા. જરાસંધ મગધ દેશ પર આધિપત્ય ભેગવતે હતે. એમના સમયમાં વેદવ્યાસ ઋષિ થયા છે, જેમણે મહાભારત આદિ ગ્રંથની રચના કરી છે, જે વર્તમાનકાળે સુધારા-વધારા સાથે પ્રચલિત છે.
આ કાળથી બ્રાહ્મણ ભાષ્યનું જોર વધવાથી તેઓએ નવી નવી કૃતિઓ રચી પિતાની માન્યતા પ્રચલિત કરી એટલે ભારતમાં તે સમયથી અસંયતની પૂજા કહેતાં ગૃહસ્થાશ્રમીઓની પૂજા ચાલુ થઈ, જે આજ સુધી સનાતન અને જૈનેતર ધર્મ–મતમાં ચાલે છે.
નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથજીના કાળમાં બ્રાહ્મણભાષ્યનું જોર વધવાથી જેસંઘમાં વિચ્છેદ પડયો. તે પછી દશમા શ્રી શીતલનાથજી તીર્થકર થયા જેમને સત્ય ઉપદેશ બ્રાહમણભાએ માન્ય રાખ્યો નહિ અને તેઓ ખુલ્લી રીતે જૈનધર્મના ખંડનમાં ઊભા રહ્યા; એટલું જ નહિ પણ ભેળા અને શ્રદ્ધાળુ લોકોને સમજાવી પોતે પૂજાવા લાગ્યા. શ્રાદ્ધ, દાન, વિગેરેમાં પોતે જ પિતાની જાતને મહત્વતા આપી તેઓએ ધર્મ નિમિત્તે ધન એકઠું કરવા માંડ્યું. એમની પરંપરાએ રચાયેલી નવી નવી શ્રુતિઓને વ્યાસ ઋષિએ એકઠી કરી વેદની રચના કરી.
બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથના સમકાળે સનાતન ધર્મના મહાન અવતારી વાસુદેવ-શ્રાકૃષ્ણ, બળદેવ-બળભદ્ર અને પ્રાતવાસુદેવ-જરાસંધ જેવા મહાપુરુષે થયા. જેમના કાળમાં વ્યાસ ઋષિ જેવા મહાન વેદાન્તી કષિએ સનાતનધર્મના કરેલા ફેલાવાથી અને તે કાળમાં કરવો અને પાન્ડ વચ્ચે થયેલ મહાન ધર્મયુદ્ધના કારણે શ્રી કૃષ્ણ વાસુદેવે મહાન ધનુર્ધારી અજુનને ધર્મરહસ્ય સમજાવવા ગીતા નામના ખાસ ગ્રંથની રચના કરી, રાજ્ય ધર્મ સાથે વેદાનિકધર્મ સમજાવ્યું. તે પ્રમાણે તે જ કાળમાં વ્યાસ કષિએ મહાભારત આદિ ગ્રંથની રચના કરી. ત્યારપૂર્વે શ્રી મુનિસુવ્રતસ્વામીના સમકાળે