Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૫૬
સમ્રાટ સંપ્રતિ
સેંકડો પશુઓને અભયદાન
“રાજ! શું વિચાર કરે છે ?”
યોગીરાજના આટલા જ શબ્દો મગધાધિપતિ નરેશને પ્રભુઆજ્ઞા તુલ્ય સમજાયા અને તેણે ગીરાજની આજ્ઞા તે પ્રભુ આજ્ઞા માની પશુઓને તક્ષણે બંધનમુક્ત કરવા હુકમ કર્યો.
ખીલાઓ સાથે બંધાયેલ નિર્દોષ પશુઓને તુરત જ મુક્તિ મળી, અને ક્રોધે ભરાયેલા પરેહિતાએ આ મેગી પર ગાળાને વરસાદ વરસાવી યજ્ઞકુંડમાં પશુયજ્ઞના બદલે ફળફળાદિને હેમ કરી, ક્રિયાની સમાપ્તિ કરી.
મહારાજશ્રીએ યોગીરાજના પ્રભુત્વમય ઉપદેશથી યજ્ઞ બંધ કીધે, અને સિંહાસન નજદિક ઊભેલા ગી–ત્યાગી-કુમારને રાજવીએ કહ્યું કે –“હે ત્યાગીકુમાર આપને કેટિશ: ધન્યવાદ છે. અમને આ જ પ્રમાણે તમારા જ્ઞાનને નિરંતર લાભ આપતા રહેશે.”
રાજન, મારે હજી પરમપદ-નિર્વાણની પ્રાપ્તિ અર્થ તપ, જપ અને પ્રવાસ ખેડવાને છે. જ્ઞાનની પ્રાપ્તિ વગર શાન્તિ નથી. જગતના દુઃખમોચનને એક જ માર્ગ ઉગ્ર તપશ્ચર્યા અને અંતે મેક્ષ છે, જેના અર્થે હું વનમાં જાઉં છું ” આટલું કહેતાં ત્યાગી કુમાર ગૌતમ રાજ્યસભા મધ્યેથી બહાર નીકળી વિંધ્યાચળની ટેકરીઓને ઓળંગી વૈશાલીના માર્ગે વળ્યા.