Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
વી. નિ. કાળગણનાને અંગે આધુનિક વિદ્વાનેાના મતભેદેાની પર્યાલાચના.
૪૩૦
શક ૬૦બ્દ વર્ષ અને વિક્રમ સંવત ૫૭૧ વર્ષ પૂર્વે વીરનિવાણુ લઇએ તા એ હિસાબે ઈ. સ. પૂર્વે ૫૨૮ ના ઑકટોબર-નવેમ્બર માસ વીરનિર્વાણન આવે છે.
મહાવીરનિર્વાણુ પૂર્વે ૧૪ વર્ષ અને પાા માસ પર બુદ્ધનું પરિનિર્વાણ થયું તે અનુસારે બુદ્ધનિર્વાણુ ઇ. સ. પૂર્વે ૫૪ર ના મે માસમાં આવે છે. સિલાન આદિ આદ્ધ ધી પ્રદેશાની ગણના પ્રમાણે ઇ. સ. પૂર્વે ૫૪૪ ચા ૫૪૩ માં નિર્વાણુ મનાય છે. આ પ્રમાણે જૈન અને ખાદ્ધ કાળગણના વચ્ચે માત્ર એક જ વરસના ફરક પડે છે જે કંઇ અતિગણનાપાત્ર મતભેદ ન કહેવાય.
ઉપર પ્રમાણે અલગ અલગ વિદ્વાનાના શેાધનેાનુ મતભેદક પર્યાàાચન આપણે સવિસ્તર કરી ગયા. અમાએ અમારાથી બન્યા. તેટલા ખુલાસા નિષ્પક્ષપાતપણે તથા પ્રમાણિક રીતે કર્યો, છતાં આના ઉપર વધુ સંશોધન મળી આવશે તેા અમેા બીજી આવૃત્તિમાં રજૂ કરીશુ. આશા છે કે વિદ્વાન પુરાતત્ત્વશાષકા અને ઇતિહાસકારો આ સંબંધમાં પેાતાના અભિપ્રાય દર્શાવે.
આ પ્રમાણે આઠ ખંડમાં આ ગ્રંથ પૂરા કરતાં તેના સાત ખંડમાં લગભગ ૧,૦૦૦ વર્ષના છીતહાસની સમાàાચના અમેએ પ્રમાણિકપણે કરી છે. આ આઠમા ખંડની સમાપ્ત બાદ પરિશિષ્ટો ઉમેરવામાં આવ્યાં છે. જો કે સમ્રાટ્ સ'પ્રતિની હકીકત સાથે તેને વિશેષ સ ંબંધ નથી, પણ જૈન સાહિત્ય-સર્જન માટે જે કેટલાક વિદ્વાના ભ્રમણા સેવી રહ્યા છે તેના તેથી નિરાસ થશે એમ માની દાખલ કર્યો છે.