Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રાટું સંમતિ
શ્રી લક્ષ્મણીતીર્થનું ત્રણ મજલાવાળું ભવ્ય મંદિર,
આ મંદિરમાં બિરાજમાન કરવામાં આવેલ પ્રાચીન પ્રતિમાઓ સ. ૧૯૯૧ ના કાત્તિક માસમાં ખેતરનું ખેદકામ કરતાં મળી આવી છે. મૂર્તિઓ મનહર અને સમ્રાટું સપ્રતિના સમયની છે, જે સંગ્રતિના અસ્તિત્વને સાબિત કરવા માટે અતિ અગત્યનો દાર્શનિક પુરાવે છે. આ સ્થળ તીર્થક્ષેત્ર તરીકે ધીમે ધીમે પ્રસિદ્ધિમાં આવતું જાય છે. લક્ષ્મણીતીર્થ એ પુરાતન સમયનું લમણપુર મનાય છે. આ સ્થળની આસપાસના ખડિયામાં અગર તે ટેકરા-ટેકરીઓ પર ખેદકામ કરવામાં આવે તો પ્રાચીન સંશોધનને લગતાં ઘણા સુદર તત્ત્વ સાંપડી શકે તેમ છે. આ તીર્થની યાત્રા મનને પ્રમાદ પ્રગટાવે તેવી તેમજ અલાદકારક નીવડે તેવી છે.
શ્રી મહાદય પ્રેસ-ભાવનગર.