Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 512
________________ ગજીલ્લાના ૧૫ર કે ૧૦૦ ? ૪ર૭ મહાવીર નિર્વાણ સંવત્ સંબંધમાં કોઈ પણ જાતને મતભેદ હતું નહિ, પરંતુ પૂર્વે વર્ણવેલ બાવન વર્ષને જ અહીંતહીં વચગાળે ફેરફાર થયે હતે. ગમે તેમ હોય પરંતુ એ વસ્તુ નિશ્ચિત છે કે પાછલા સમયમાં જૈનસંઘમાં એક એવે સમુદાય હતો કે જે વીરનિર્વાણ અને વિક્રમ સંવત્ વચ્ચે જુદા જુદા વર્ષોનું આંતરું માનતે હતું અને તે માન્યતાનું કારણ માર્ય વંશના બાવન વર્ષ છૂટી જવાનું જ પરિણામ હતું. “ સેવાસેતુ વછરપવિત્ત ”—ઉપરોક્ત વાકયના વાસ્તવિક અર્થનું વિસ્મરણ થઈ જવાથી વર્તમાન કાલ્પનિક અર્થની ઉત્પતિ થઈ દેખાય છે. પરિણામે “વલ્લભી વાચના” ની ગણત્રીમાં ૧૩ વર્ષ અધિક આવે છે. પ્રભાવક ચરિત્રના કર્તા આચાર્ય શ્રી પ્રભાચંદ્રસૂરિ છવદેવસૂરિના પ્રબંધમાં લખતા જણાવે છે કે –“જે સમયે આચાર્ય છવદેવસૂરિ વાટ નગરમાં હતા તે સમયે વિક્રમાદિત્ય અવંતી એટલે ઉજેનીમાં રાજ્ય કરતો હતે. સંવત્સર પ્રવર્તાવવા નિમિત્તે પૃથ્વીનું ત્રણ ચૂકવવા અર્થે વિક્રમ રાજાએ પિતાના મંત્રી લીંબાને વાયેટ નગરે મોકલ્ય, જ્યાં તેણે પ્રભુ શ્રી મહાવીરનું પ્રસિદ્ધ જિનાલય અતિ જીર્ણ સ્થિતિમાં જોયું. મંત્રીએ તેને જીર્ણોદ્ધાર કરાવ્યું. બાદ વિક્રમ સંવત્ ૭ માં શ્રી જીવદેવસૂરિના હસ્તે ધ્વજદંડ અને પ્રતિષ્ઠા કરાવી.” આ હકીકતને લગતી મૂળ ગાથાઓ નીચે પ્રમાણે છે “ત્તર કવિરાત્વિા, જાવંત નાવિષT अनृणां पृथिवीं कुर्वन् , प्रवर्णयति वत्सरम् ॥ वायटे प्रेषितोऽमात्यो लिम्बाख्यस्तेन भूभुजा । जनानृण्याय जीर्ण चाऽ-पश्यच्छीवीरधाम तत् ॥ उद्दधार स्ववंशेन, निजेन सह मंदिरम् । अर्हतस्तत्र सौवर्ण-कुंभदंडध्वजालिभृत् ॥ संवत्सरे प्रवृत्ते स, षट्सु वर्षेषु पूर्वतः । गतेषु सप्तमस्यांतः, प्रतिष्ठां ध्वजकुंभयोः॥ श्रीजीवदेवसरिभ्यस्ते-भ्यस्तत्र व्यधापयत् । अद्याऽप्यभङ्गस्तत्तीर्थ-मभूद्दग्भिः प्रतिष्ठितम् ॥" –ામાવત્રિ , 98 રૂ.

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548