Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રાટું સંપ્રતિ પાંચ માસ બાદ મુનિશ્રી જમાલીએ મતભેદ ઊભું કીધે. શાળાએ પ્રભુ મહાવીર પર તેલેશ્યા મૂકી, જેના વ્યથાજનિત તાપથી પ્રભુ મહાવીરને લેહીખંડને રોગ થયે ને તે વ્યાધિની થેડા મહિનાની પીડાથી તેમને પરિતાપ થયે. આ સમય ઈ. સ. પૂર્વે ૫૪૧ ને કાળ ગણાય. પ્રભુ મહાવીર નિર્વાણ સંબંધી જૈનેતર થએ ઊભે
કરેલ અગ્ય મતભેદ, - ૭. અમારી નજર સામે રહેલા કેટલાક ઐતિહાસિક ગ્રંથમાં પ્રભુ મહાવીર નિર્વાણને કાળ,
ગતમ બુદ્ધના નિર્વાણ પૂર્વે જણાવેલ છે. આ વિષયના પૃથક્કરણમાં ઉતરતાં ઈતિહાસકારોના વાચનમાં કાળગણનાના અંગે પૂરતા જૈનગ્રંથો ઉપલબ્ધ નહિ થયા હોય એવું અનુમાન થાય છે. સત્ય હકીકત એ છે કે પ્રભુ મહાવીરનું નિર્વાણ ગતમ બુદ્ધ પૂર્વે નહિ પરંતુ ગતમ બુદ્ધના નિર્વાણ બાદ ૧૪ વર્ષ, ૫ માસ અને ૧૫ દિવસ પછી થયું હતું. આ હકીકતના સમર્થનમાં અમે પ્રમાણભૂત પુરાવાઓ નીચે રજૂ કરીએ છીએ –
શૈશાળાએ પ્રભુ મહાવીર ઉપર મૂકેલ તેજલેશ્યાથી તેઓ લોહીખંડના વ્યાધિથી સખત રીતે પીડાવા લાગ્યા. આ સમયે પ્રભુ મહાવીર કેવળજ્ઞાન પ્રાપ્તિના ચદમા વર્ષે શ્રાવતી નગરીના સાલકોણક નામના ઉદ્યાનમાં વિદ્યમાન હતા કે જ્યાં તેમની સાથે ગોશાળાએ નિરર્થક ઝઘડો કર્યો હતો અને પ્રભુને બાળી ભસ્મ કરવા તે વેશ્યા મૂકી. આ તેલેસ્યાની અસરથી પ્રભુ મહાવીર વ્યાધિગ્રસ્ત બન્યા.
આવી અસદા બિમારીને સહન કરતા પ્રભુ મહાવીર વૈશાખ માસમાં મેંઢીએ ગામમાં સાલકોષ્ટક નામના મંદિરમાં આવી પહોંચ્યા. આ સમયે એક ગંભીર ઘટના બની. પ્રભુ મહાવીરના શિષ્ય જમાલી કે જેઓ પ્રભુ મહાવીરના ગૃહસ્થાવાસના જમાઈ થતા હતા તેઓએ આ કાષ્ટક ચૈત્યમાં પ્રભુ મહાવીરના વચનનું ઉત્થાપન કર્યું અને પિતાના શિષ્ય સમુદાય સાથે, પ્રભુની રજા મેળવ્યા સિવાય, અલગ વિહાર કરી ગયા. જેન શાસ્ત્રકારોએ જમાલિની ઉત્સુત્રરૂપણાને કારણે તેમને “નિલંવ” નું પદ અર્પણ કર્યું.
બીજી બાજુએ જે સમયે ગોશાળાએ પ્રભુ મહાવીરને તે જેલેશ્યા મૂકી હતી તે સમયે તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે “પ્રભુ મહાવીર છ માસમાં પિત્તવરથી કાળ કરી જશે.” આ પ્રસંગને અનુસરતો ભગવતી સૂત્રમાં નીચે મુજબ ઉલ્લેખ છે – ... "तएणं समणस्स भगवओ महावीरस्स शरीरगंसी विउले रोगायंके पाउन्भूए उजले जाव दुरहियासे पित्तजरपरिगयसरीरे दाहवकंतीए याविहोत्था । अवियाइ